SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મકર્મ વર્ણ વિચાર. ૧૪૩ - કષ્ટ સહીને પણ તેવી સ્થિતિના અભ્યદય માર્ગે શનૈઃ શનૈઃ મનુષ્યોને આકર્ષી શકાય અને ભવિષ્યમાં યુગ પ્રધાનના સભાને સંસ્કારિત વર્ણવ્યવસ્થાચારનાં બંધારણો દેશ કાલાનુસારે ધર્મવૃદ્ધિકારક સંસ્કારોને પામીને ઉન્નત થાય એમ સંભાવ્ય છે. વ્યવહારનય એ જૈનધર્મરક્ષાનું અને વૃદ્ધિનું મૂલ છે. અએવ અધ્યાત્મરસિક સંતોએ પણ જૈનશાસન અને તેની વૃદ્ધિ થાય એવા મનની વર્ષીય સ્થિતિને વિસ્તાર રૂપમાં મૂકવા વર્ણવ્યવહારધર્મસંસ્થાપનદષ્ટિએ આત્મભોગ આપવા સદા કદ્દીબદ્ધ રહી જેનોની સંખ્યામાં વૃદ્ધિ થાય એમ કરવું જોઈએ. મહાસંધને વ્યવસ્થા પૂર્વક સુદઢ બંધારણોથી સંસ્કારિત કરીને ગૃહસ્થ જૈનોમાં ચાર વર્ણના મનુષ્યોનો સમાવેશ કરવા યોગ્ય સદુપાયો દર્શાવવા જોઈએ. વ્યાવ. હારિક ધર્મ, કર્મ, સંસ્કાર કરાવનાર ગુરૂ અને મોક્ષમાર્ગ દર્શક તથા મોક્ષમાર્ગની આરાધના કરાવનાર મુનિરાજ ગુરૂની વ્યવસ્થાથી સંઘનાં બંધારણે એવાં ઉપદેશવાં જોઈએ કે જેથી જેની ચાતુર્વણિક વ્યવસ્થા વડે વા અન્ય કોઈ ઉચ્ચ વ્યવસ્થાવડે ચાર વર્ણના ગુણકર્મોની દશાવડે ગૃહસ્થ જીવનની સાથે પૃથ્વીપટ પર જૈધમ દીર્ધકાલ જીવતો રહે. જૈન ધર્મનો પુનરૂદ્ધાર પુનઃ ચારે વણમાં પામવાને છે તેથી તેની પૂર્વની ફુરશુઓ જગને જાગ્રત્ કરાવવાને માટે અમુક વ્યક્તિ દ્વારા પ્રકાશ પામીને આચારમાં પ્રગટ થવા તૈયારી કરે છે, અને એવી સ્થિતિ સાહાટ્યક યુગ પ્રધાનાદિ કાર્યોમાં પ્રવૃત્ત થાય એ શકય છે. નદી જ્યાંથી નીકળે છે ત્યાં જલનાં લઘુ ન્હાના ન્હાનાં ઝરણું હોય છે. તે સર્વ ઝરાણું ભેગાં મળીને વહેળાનું રૂપ લે છે અને તેમાં અન્ય ઝરણું તથા હેળાઓ ભેગા મળીને તે નદીનું વિસ્તારવાળું રૂપ લે છે અને તે સાગરને મળે છે. સાગરની પાસેની નદીનું સ્વરૂપ કયાં અને નદીના મૂળનું સ્વરૂપ કયાં? તેમાં મહાન અખ્તર છે તદ્વત્ અવ પણ ચાતુર્વણું પ્રજામાં જૈનધર્મના પ્રાદુર્ભાવનું મૂળ વિચારતાં સામાન્ય ઝરણુનું વહન લાગશે. પરંતુ તે અનેક મહાપ્રભાવક મુનિવરો અને ગૃહસ્થ જૈનેના વિચાર વહન ઝરણું અને તેની તીવ્ર ભાવનાપ્રવૃત્તિ રૂ૫ રહેળાઓથી ચારેવર્ણોમાં જૈનધર્મનો અવતાર રૂ૫ પુનરૂદ્ધારનદી ભવિષ્યમાં મોટું રૂપ ધારણ કરે એ બનવા છે. નાત જાતના ભેદભાવાભિમાનને ટાળી સર્વ જાતિને પવિત્ર કરનાર સર્વવર્ણોની જૈન રૂપે એકવણું કરનાર વર્ણ વ્યવસ્થામાં છતાં આત્માને પરમાત્મા તરીકે અવબેનાર જૈનધર્મ સર્વત્ર વિશ્વમાં ઉપર્યુકત ગુણ કર્મ વ્યવસ્થામૃત વર્ણાદિ For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy