SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મકર્મ વર્ણ વિચાર, ૧૩, સંરક્ષક રીતિએ ચાર વર્ણની સુવ્યવસ્થાની સંરક્ષા વૃદ્ધિમાં જૈનધર્મને મંત્ર કુંકાવો જોઈએ અને સર્વ વર્ણમાં યથા યોગ્ય જેમ ઘટે તેમ જૈન ધર્મના વિચારો અને આચારોનાં બીજ વવાય અને તેનાં સુફલ આવે એવી સુજના, ક્રમ પૂર્વક કરવી જોઈએ એમ વ્યાવહારિક ધર્મ સંરક્ષક નેતાઓએ સુક્ષ્મ દીર્ધ પરિણામિક દૃષ્ટિએ વિચારવું જોઈએ. હિન્દુ ધર્મમાં ચાર વર્ણ અથવા ચાર વર્ણના ઉદેશેને કંઈક ભાગ હિન્દુ ધર્મ દષ્ટિ પ્રમાણે સંરક્ષાયેલો છે અને તેની વ્યવસ્થા સ્થૂલ જગતમાં અમુક નિયમોએ યોજાયેલી છે તેથી હિન્દુ ધર્મ હજી જીવતો રહ્યો છે. જેનધર્મમાં તેવી વર્ણ વિભાગની યોજનાઓ વ્યાવહારિક વર્ણ દૃષ્ટિએ હતી કિતુ હાલ તો તેવી સ્થિતિ ન હોવાથી સ્થૂલ વિશ્વના મનુષ્ય પૂલ ધર્મ વ્યવહારમાં જૈન ધર્મનું અસ્તિત્વ અને સંરક્ષક વૃદ્ધિ બળ એક વણિફ જાતિને અવલંબીને યત્ કિંચિત્ અવલોકાય છે. બાકીના વૈો, બ્રાહ્મણો અને માંથી જૈન ધર્મનું અસ્તિત્વ સંરક્ષકત્વ બળ ટળી ગએલું દેખાય છે. | ગમે તે સત્ય વિશ્વવ્યાપક અને સુખદ ધર્મ હોય પણ તે વિચારે દ્વારા સર્વ મનુષ્ય વર્ગના આચારમાં પિતાનું દિવ્ય સ્વરૂપ ન દેખાડે અને એવી યોજનાઓમાં ન મૂકાય ત્યાં સુધી તે મનુષ્ય વર્ગ સ્થૂલ ધર્મ વ્યવહારમાં તે ચિરંજીવતાને ગ્રહી શકે નહિ એમ વાસ્તવિક સ્કૂલ વ્યવહારનુભવ દષ્ટિએ સાક્ષર વિચાર કરશે તે તેમને સત્ય અવબોધાયા વિના નહીં રહે. બેંદ્ધિ, ખ્રીસ્ત અને મુસ્લીમધમેં ગુણકર્મ અથવા અન્ય રીતે જગતના પૂલ જીવન વ્યવહારોની સંરક્ષા અને જીવન દષ્ટિએ તેની ઉપયોગિતા અને પરસ્પરની સગવડતા અવલોકીને ચાર વર્ણ વર્ગના ઉદેશને ગુણ કર્મ દ્વારા વિશ્વમાં પ્રવર્તાવી સ્વધર્મ રૂપ મંત્રને તેમાં ચૈતન્યરૂપે મૂકીને સ્વધર્મનું અસ્તિત્વ રૂપ દઢ મૂલ ઘણું ઊંડું ઘાલ્યું છે કે જેથી તે ધર્મોને ઘણું કાલ પર્યત ટકાવ થઈ શકે. જૈનધર્મની તે પ્રમાણે પૂર્વે સ્કૂલ વર્ણ વર્ગ ધર્મની અપેક્ષાએ આચારોમાં વર્ગ વ્યવસ્થા હતી તેથી જૈનધર્મની પરિપૂર્ણ જાહેજલાલી ભારતમાં સર્વત્ર પ્રસરી હતી. પરંતુ ઉપર્યુંકત પૂલ વર્ણ વ્યવહાર ધમની સુવ્યવસ્થાના બંધારણની જનાઓને અન્યધર્મિગુરૂઓ દ્વારા અનેક આઘાત લાગવાથી હાલ તે તત્સંબંધી નામાવશેષ જેવી વર્ણવ્યવસ્થા પૂર્વક પૂલ ધર્મ યોજનાઓ અને આચારો દેખાય છે. ઉપર્યુકત સ્થૂલ વર્ણ વિભાગ વ્યવસ્થાપૂર્વક ધાર્મિકાચાર વ્યવસ્થાઓની એજનાઓ અમુક રીતિએ સંસ્કારિત કરીને તેને સર્વત્ર આચારમાં મૂકવાની યોજનાઓ For Private And Personal Use Only
SR No.008558
Book TitleDharmaik Gadya Sangraha Tatha Patrasadupadesh
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages978
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy