________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેથી હાલની દષ્ટિએ તેવા વિચારમાં કાંઈ ન્યૂનતા લાગે એ સ્વાભાવિક છે. તેથી વાચકને કાકાળ અવસ્થા વિગેરેને વિચાર કરી વાંચવા ભલામણ છે. આ ગ્રંથનાં મુક સુધારવામાં પેથાપુર નિવાસી શા. મોતીલાલ પાનાચંદ તથા પરીખ રમણિકલાલ ડાહ્યાભાઈએ મારી સાથે રહી ઘણી મહેનત લીધી છે તે માટે તેમને ધન્યવાદ આપવામાં આવે છે.
આ ગ્રંથમાં કાંઈ છનાસા વિરૂદ્ધ લખાયું હાય વા કાંઈ ભૂલચૂક રહી ગઈ હોય તે તે માટે શ્રીસંઘ આગળ માફી માગું છું અને વાચક સજજને હંસ દષ્ટિ ધારણ કરી જે કાંઈ સાર લાગે તે ગ્રહણ કરશે એમ ઈચ્છું છું.
લી. બુદ્ધિસાગરસૂરિ. વિ. સં. ૧૯૮૦ વિજયાદશમી, પેથાપુર.
www.kobatirth.org
For Private And Personal Use Only