________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪૮
ગિનિષ્ઠ આચાર્ય
અને બીજી તરફ પત્રોથી સહને ઉપદેશ આપે છે. પોતાના વિચાર સાથે સહમત ન થનારા પિતાના શિષ્યોની વારંવાર ક્ષમાયાચના કરે છે. વળી કોઈ પ્રતિષ્ઠાને બહાને, ઉજ, મણાને બહાને ખરચા કરાવે છે, તે શિષ્યને સૂચવે છે. “ જ્ઞાન વિના કેળવણી પામેલા શ્રાવકે હવે સાધુઓને બાવાએના કરતાં પણ બૂરી દષ્ટિએ દેખે છે. ખરચા ઓછા કરો !
અને ગુજરાતનો આ જૈન મહાકવિ, પ્રેમાનંદ કવિની બીજી પ્રતિમા શે ફરીથી ગ્રંથ સર્જનની ધૂનમાં પડી જાય છે. એને હચે જે અરમાન છે, જે અરમાન સદા છેવામાં સમાજે સૌજન્ય બતાવ્યું હતું, એ પૂરું કર્યું સંતેષ પામે છે!
મીઠી પેશાબનાં દર્દીની સાથે બીજાં આનુસંગિક દર્દો એને ઘેરી વળે છે. છતાં દેડની જવાલાઓ કરતાં અંતરની વાલાએ એને વધુ બળી રહે છે. એ નિઃશ્વાસ નાખે છેઃ “ અરેરે,
બ્ધમાં હોય છે તો અવશ્ય ફળ મળે છે જ, પણ નકામી ધમાલ કે બાધા આખડીએ રાખવી તે નકામું છે, તેમ જ ધર્મનો પસાય પણ આશ્ચર્યકારક છે જ.
| * પુત્રપ્રાપ્તિ થવાથી તેમ જ ધર્મનો પ્રતાપ નજરે જોવાથી શેઠે કારીઆઇના સંધ કાઢવા સંવત ૧૯૧૦ માં છરેરી પાળતો સંઘ કાઢી સંધ અને તીર્થસેવાનું મહાન પુણ્ય ઉપાર્જન કર્યું. તપશ્ચાત્ આ ધર્મજિજ્ઞાસુ ભવ્યાત્માએ સંવત ૧૯૨૩ના વૈશાખ સુ૭ ના રોજ મહેસાણામાં ( મહેસાણાનું આખુ ગામ ) સર્વ કેમ થાવાળાઓને પ્રેમ વાત્સલ્ય જમણ આપી આશરે રૂ. ૧ ૦ ૦ ૦ ૦ હજાર ખર્યા હતા. આવાં સુકૃત્યો કરનાર પિતાના પુત્રને પણ તે પિતાના જ સંસ્કારો પડયા હતા. તેમ જ વિચારો પણ પિતાના જેવા જ બહેળા અને ધર્મિષ્ઠ હતા. તેમણે ગુરુ પાસે ધર્મનું જ્ઞાન બાલ્યાવસ્થાથી જ મેળવ્યું હતું. કુટુંબના સંસ્કારેએ આ જ્ઞાનને વધારે પ્રકાશ આપ્યો, અને દેવ ધર્મ તથા ગુરુ પર વધારે દઢ પ્રીતિવંત થયા. તેઓ પ્રસંગેપાત ગુરુ શ્રી મદ્ રવિસાગરજી મહારાજનો સમાગમ થતાં આ સંસારની અસારતા, લક્ષ્મીની ચપળતા વગેરેની અનિત્ય ભાવના ભાવતા અને ઉદય આવેલાં કર્મ ભોગવવા સંસારમાં રહેવા ફરજ પડી છે, એમ માની નિર્લેપવૃત્તિથી સંસારધુરા વહેતા હતા.
તેમને ત્યાં તેમના જેઠ પુત્ર અમથાલાલનો જન્મ થતાં જ કુટુંબમાં આનંદ પ્રસર્યો હતો. આ શભ પગલાંના સુપુત્રના જન્મથી શેઠ નગીનદાસને ધર્મક ૫ર વિશેષ રુચિ થઈ હતી, અને છરેરી પાળતા સંધ, પિતાની માફક કાઢવા તેમણે નિશ્ચય કર્યો, અને શ્રાવક, શ્રાવિકા, સાધુ-સાવીના સમુદાય સાથે સંધ શ્રી કેશરીઆજીનો કાઢયો હતો, તથા આઠ વર્ષની વયના શ્રી અમથાલાલને કરારતુલા તેમના ભારોભાર કેશર તોલી શ્રી કેશરીઆઇને ( દાદાને ) કેશર ચઢાવ્યું હતું. જેમાં તેઓને આશરે રૂ. ૧૨૦૦૦ ખર્ચ થયે હતે. મહેસાણામાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના મેટા દેરાસરમાં એક દેરડી નકરો ભરી લીધી હતી, અને તેમાં શ્રી મુનિસતવામીની પ્રતિષ્ઠા સં. ૧૯૫૦ માં કરી હતી. તે વખતે રથયાત્રાનો વરઘોડો ધામધૂમથી કાઢી તથા નવા કારશી કરી ધર્મપ્રભાવના કરી હતી.
“ એકંદર ધર્મકાર્યોમાં મહેમ અગ્રભાગ લેતા હતા. ઉત્સાહ અને ઉમંગથી ધર્મ કાર્ય કરતાં વ્યાપારાદિમાં સંપત્તિ અને ઉજવલ કીર્તિ તેઓ પામ્યા હતા. મુંબઈમાં તેમની પ્રતિષ્ઠા સારી હતી, અને મુંબઈના કોટના જેન દેરાસરના મેનેજર તરીકે તેમણે દશ વર્ષ સુધી કાર્ય કર્યું છે. તેમને દર વર્ષ શ્રો સિદ્ધાચળની યાત્રાર્થે જવાનો નિયમ હતો; તેમ જ શ્રી કેશરીઆઇ તીર્થ માટે પણ તેમને બહુ શ્રદ્ધા અને પ્રેમ હતો અને વખતોવખત ત્યાં યાત્રાર્થે જતા હતા.
For Private And Personal Use Only