________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
योगनिष्ठ आचार्य
. મૂળ આધાર જતાં, આધાર વગરની એ ઈમારતને બીજા આધારસ્થ મૂકીને ઊભી રાખવાને સંસારમાં હમેશાં સહુ કોઈ પ્રયત્ન કરે છેઃ એમ અમે પણ કર્યો, પણ એ પ્રતાપી આધારસ્થંભની ખેટ અમને સદા કાળ સાલ્યા કરી છે, ને આજે પણ ચાલે છે.
આવા પ્રતાપી આધારસ્થંભના કેત્તર ચરિત્રને લેકહિત માટે પ્રગટ કરવું એ આ સંસ્થાની ફરજ હતી, અને તે પ્રગટ કરવાની આકાંક્ષા આ મંડળ પ્રથમથી જ સેવત આવ્યું હતું. તે છતાં વાચકવર્ગને આશ્ચર્ય થશે કે જીવનચરિત્રને રજૂ કરતાં પૂરી એક પચ્ચીસી પસાર થઈ ગઈ. અમારે સ્પષ્ટ કરવું જોઈએ કે અલબત્ત, એક મહા ઉપકારી આત્માનું ચરિત્ર આટલું મોડું બહાર પડે તે માટે મંડળ અવશ્ય ટીકાપાત્ર છે: પણ સાથે સાથે અમારે જણાવવું જોઈએ, કે એ વિષેને અમારો પ્રયત્ન આજ સુધી કદી થmો નહોતે. જીવનની વિગતો એકત્ર કરવાની, એ બધાને ક્રમવાર જવાની, ને છેલ્લે છેલ્લે એને ન્યાય આપી શકે તેવા લેખકની શોધની પ્રવૃત્તિ સતત ચાલુ હતી. | અમારે સ્પષ્ટ કરવું જોઈએ કે ત્રણ ત્રણ લેખકે પાસે જીવનચરિત્રો લખાવવામાં પણ આવ્યાં. પણ તપાસતાં કેઈમાં અતિશયોક્તિ તો કેાઈમાં અપેક્તિ દેખાઈ. વળી મધ્યસ્થભાવે ન્યાય આપી શકે તેવા લેખકની શોધ આરંભાઈ ! | સમય કોઈનેય માટે ક્યાં થલે છે ? મંડળે એક યોગાભ્યાસી વિદ્વાન સજજન શ્રી. જયંતિલાલ એછવલાલ મહેતાને આ કાર્ય સંપ્યું. આ કાર્યને જરૂર ન્યાય આપે એવા એ સુંદર લેખકે લખવા માંડયું, ત્યાં તો આ બાબતથી અજ્ઞાત એક ગુરુભક્ત શ્રી. કેશવલાલ મંગળદાસ નામના વકીલને બારોબાર જીવન લખવા સેપ્યું અને ભાઈ જયંતિલાલે કામ પડતું મૂક્યું. બનવા કાળ તે ૨ા. કેશવલાલ તે લખી શકયા જ નહિ.
વરસ વીતતાં ગયાં. આખરે ભાઈ પાદરાકરને આ કાર્ય સંપાયું. તેમણે ટૂંક સમયમાં તે લખ્યું. આચાર્યો, સાધુઓ અને મંડળના સભ્યોએ વાંચ્યું, ગમ્યું, અને પ્રેસમાં મોકલવા પ્રબંધ થયો. ત્યાં તે રા. પાદરાકરે જાણીતા લેખક
શ્રી, જયભિખુનું ‘ કામવિજેતા સ્થૂલિભદ્ર” પુસ્તક વાંચ્યું ને ડોલી ઊઠયા. આ લેખક મારા લખેલા જીવનને પિતાની શૈલીમાં લખે તો ? જરૂર ઉત્તમ કૃતિ બને. આ ભાવનાએ શ્રી નાગકુમાર મકાતી વકીલ મારફતે મંડળને શ્રી. જયભિખ્ખ મળ્યા. તેમણે આ કાર્ય સ્વીકારવાની ઉદારતા દર્શાવી મંડળને ઉપકૃત
[૨]
For Private And Personal Use Only