SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧ પરીખ નગીનદાસ મનસુખભાઈ. અમદાવાદ, જત ગઈ કાલરોજ ગુરૂદેવ ગનિષ્ટ. શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી કાલધર્મ પામ્યાના અતિશય દુઃખદુ સમાચાર સાંભળી હૃદયને પારાવાર દુઃખ ઉત્પન્ન થયું છે. છેવટના ટાઈમે દર્શનને લાભ પણ હું ન લઈ શકચે. તે હૃદયને સાચાં કરે છે. ભાવી પ્રબલ છે સર્વને માટે તે રસ્તે એક દિવસ છે. એમ ધારી પૂજ્ય મહુમ ગુરૂદેવ તેમના જીવનના ધ્યેય સચિત્ત આનંદરૂપ સત્યસ્વરૂપમાં લીન થઈ કૈવલ્યપદ પ્રાપ્ત કરી અખંડ આનંદ અનુભવે અને તેમના અમરાત્માને પરમશાન્તિ પ્રાપ્ત થાઓ એમ ઈચ્છું છું. આજે બાર વાગ્યા પછી ખબર પડી કે દહન ક્રિયા બપોરે બે વાગે થવાની છે અને અત્રેથી ઘણા માણસો ગયા છે. આ ખબર પણ સવારમાં મલીહત તે સવારની ગાડીમાં અત્રેથી આવી શકત અને પૂજ્ય ગુરૂ દેવનાં મૃત દેહનાં પણ દર્શન કરી શકત પણ તે ખબર પડી મલવાથી હદયને અતીશય ખેદ થયે છે. આ કલીકાલમાં તેમના જેવા ગી પુરૂષે મલવા દુર્લભ છે. અનેક ભક્તજન યાતો શ્રાવકોને તે આ બનાવથી દુઃખ થાય પણ જૈનેતર પ્રજાને પણ પ્રભુવીરના શાસનને આતંભ તૂટી પડતાં અત્યંત ક્ષોભ થયે છે. પણ તેમાં ઉપાય નથી. પ્રભુ તેમના પરમપવિત્ર આત્માને શાંતિ અર્પે એજ એક શાનિત. દ. સેવક નગીન. મુંબાઈ. મુંબાઈ બંદરથી લી. પારી રવચંદ વજેચંદ તથા ભાઈ છોટાલાલ તથા ભાઈ અંબાલાલ થા ભાઈ બહેચરલાલ વગેરે બીજુ દીલગીરી સાથે જણાવવાનું કે પૂજ્ય યોગનિષ્ઠ પરમપુજ્ય આચાર્ય મહારાજ શ્રી...શ્રી બુદ્ધિસાગરસૂરિશ્વરજી મહારાજ ગયા કાલે સવારે આઠ વાગે કાલધર્મ પામ્યા છે. તે સાંભળી અમે ઘણોજ દીલગીરી પામ્યા છીએ અને દીલગીરીને પાર રહ્યો નથી. For Private And Personal Use Only
SR No.008551
Book TitleBuddhisagarsuri Smarakgranth
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages241
LanguageGujarati
ClassificationSmruti_Granth, Philosophy, & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy