________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમ્યગુટિની પ્રાપ્તિ થતાં આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપને ઓળખે છે. અને અંતરાત્મા બની જાય છે, આભા ઉપાદાન કારણ છે; સતસંગ, શાસ્ત્ર, વૈરાગ્યમય ભજન-કાવ્યો નિમિત્ત કારણ છે આ રીતે આત્મામાં અંતરાત્મ દશામાં
સ્વ–પર વસ્તુને વિવેક પ્રકટે છે. - દરેક જીવ પિતાના પૂર્વકર્મ વડે પોતાની કાર્ય કરવાની શક્તિ ગર્ભમાંથી જ ઉત્પન્ન કરે છે. તેનું નામ જૈન દર્શનના પારિભાષિક શબ્દમાં “પર્યાપ્તિ” કહેવાય છે; પિતાના અમુક શરીરમાં, દેશમાં, કાળમાં કે ભાવમાં રહે ‘વાની મર્યાદા પોતે જ અજ્ઞાતપણે બાંધે છે; જન્મ પછી આ પર્યાપ્તિને વધારવા કે શક્તિઓને ખીલવવા તે સ્વતંત્ર છે; આ મર્યાદા અને શક્તિને સંકુચિત પણ એજ જીવ કરી શકે છે. કર્મના જે જે બંધને મનુષ્યને નડે છે તે તેણે પોતે જ બાંધેલા છે; એ બંધનને મજબુત કરવા કે ઢીલા કરવા અથવા તેડવા એ તેના જ હાથમાં છે; કુંભાર જેમ માટી લઈને નવ નવા ઘાટ ઘડે છે, તેમ જીવ પણ કર્મ દ્વારા પરિણામે કરી નવા નવા કર્મનો સંગ્રહ કરે છે અને ઘાટ ઘડે છે.
વસ્તુસ્થિતિ આમ હોઈ આ માનવ જીવનમાં આત્માએ શુભ આલંબન લઈ પ્રગતિમાન થવું જોઈએ; આલંબનમાં પુષ્ટાલંબન નવપદજી છે; તે સામાન્ય આલંબનો રૂપે નિતિક અને આધ્યાત્મિક ઉપદેશે છે. આવા ઉપદેશોને જન સમાજ સમક્ષ કા-ભજન રૂપે સરળ ભાષામાં અધ્યા
For Private And Personal Use Only