SearchBrowseAboutContactDonate
Page Preview
Page 660
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૮૭ Acharya Shri Kailassagarsuri Gyanmandir કરવે। પડશે. ભવજ જાળમાં પડવાથીજ સત્ય પ્રકાશ મળશે.. આવી ધારણાથી તમને સાચી સુખશાંતિ મળવી દુર્લભ છે. તમેાએ સુખશાંતિ પ્રાપ્ત કરવા અતિ પ્રયાસ કર્યા. છતાં ઉલટા કલેશ થયા. તે તમે જાણેા છે. અને કટાળા પણ આવેલ હશે. અને મનની ચંચળતા પણ અધિક થઈ હશે. માનસિક ચંચલતા વધતાં, લેશ માત્ર પણ શાંતિ પ્રાપ્ત થાય નહિ. અને તેથી કલેશમાં વધારો થાય. મનની ચંચળતા વાંદરા જેવી છે. પછી કાઈ તેને મંદિરાનું પાન કરાવે અને નિસ્સરણી ઉપર ચઢાવે તે, તે અધિકાધિક તોફાન મચાવે. તેવી પરિસ્થિતિ ભવજાળની છે. છતાં તે જાળમાંથી ખસવા માટે જવા પ્રયાસ કરતા નથી. તમે ધારતા હશે! કે, વૃદ્ધપણામાં આત્મતત્ત્વને એળખવા અને પ્રાપ્ત કરવા પ્રયાસ કરીશું. આ વિચાર પણ ખરાખર નથી. કારણ કે, શક્તિ અને શાણપણ હાતે છતે પણ, યુવાનીમાં કાંઈ પણ પ્રયાસ કર્યો નહિ. તા પછી વૃદ્ધાવસ્થામાં તે શક્તિ ઓછી થઈ હશે જ. તેથી તે આત્મતત્ત્વો મેળવી શકશે। નહિ. આશા અધુરી જ રહેશે. અને કલેશ, કંકાસ ટળશે નહિ. જેમ વાંદરા વૃદ્ધ થાય તે પણ, ગુલાંટે! માર્યા કરે. અને પોતાની જાતે કષ્ટ ઉત્પન્ન કરે. તે મુજબ ઘણી ગુલાંટા મારશે તે પણુ, કષ્ટ થવાનું, માટે ચેતે. અને ભવજ જાળમાંથી ખસવા ઉપાય કરે. તમે જાણે! છે કે, ધન અને ધર્મ, શક્તિશાલી યુવાનીમાં મેળવી શકાય છે. વૃદ્ધ બન્યા પછી ધન અને ધર્મ For Private And Personal Use Only
SR No.008547
Book TitleBhajanpad Sangraha Bhavarth Vivechan Sathe
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherBuddhikirtisagarsuri Jain Granthamala
Publication Year
Total Pages746
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy