________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્યો છે. આશા રાખીએ છીએ કે અમારી આ પસંદગી સૌની પણ પસંદગી બની રહેશે.
આ તો થઈ આ ગ્રંથના લેખન વિષેની વાત. પરંતુ તેના પ્રકાશન અંગેના સાથને સહકાર વિના આ સંગ્રહ પ્રગટ ન જ બન્યો હોત.
આ પુસ્તકના પ્રકાશનને સૌ પ્રથમ યશ તે ખંભાતના સંધના ફાળે જાય છે. અમારું ત્યાં પ્રથમ ચાતુર્માસ હતું. પૂ. પં. પ્ર. શ્રી મહેદય સાગરજી ગણિવર્યે આ પ્રકાશન માટે પ્રેરણા કરી અને ત્યાંના શેઠ શ્રી મૂળચંદ બુલાખીદાસના ઉપાશ્રયના સંઘે તે વાત સહર્ષ વધાવી લીધી. અને શ્રી સ્તંભતીર્થ તપગચ્છ જૈન સંઘ તરફથી શ્રી નાનખાતાની ઉપજમાંથી રૂપિયા ૭૦૦) આપવાની પહેલ કરી, આ શુભ શરૂઆત ૨૦૧૬ ના કપડવંજના ચાતુર્માસમાં આગળ વધી. શેઠ મીઠાભાઈ ગુલાબચંદના ઉપાશ્રયમાં પણ આ પ્રકાશનને ઉમળકાભેર વધાવવામાં આવ્યું. અને ત્યાંના સુપ્રસિદ્ધ દાનવીર સ્વ. શેઠશ્રી વાડીલાલ મનસુખરામ તરફથી રૂ. ૧૦૦૦ ને સહકાર મળે. તેમજ શેઠ શ્રી કેશવલાલ બુલાખીદાસની પ્રેરણાથી શ્રી દેવકરણ મેન્સન સંધ તરફથી તથા શેઠશ્રી પન્નાલાલ બી. શાહ (જે. પી.) ની પ્રેરણાથી. શ્રી લુહારચાલ સંધ તરફથી તેમજ શ્રી ગોડીજી પાર્શ્વનાથ જ્ઞાનોદય સમિતિ તરફથી તથા અન્ય ગામના શ્રાવકાના નાના મોટા સહકારની નોંધ તે ભુલાય જ કેમ? જે સહાયકેની શુભ નામાવલીમાં નોંધ/યાદી પ્રગટ થવા પામેલ છે.
આમ અનેકના સાથ ને સંગાતથી અમે આ સંગ્રહ આપના કરકમળમાં ધરી રહ્યા છીએ. અમે કંઈ તેના માટે બોલીએ તેના કરતાં આ સંગ્રહ જ વધુ કહેશે. તા. ૨૮-૫-
લે. આચાર્ય શ્રી કીર્તિસાગરસૂરિ શંખેશ્વર તીર્થ
For Private And Personal Use Only