________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯૬
રહ્યા ત્યાંસુધી બરાબર ધ્યાન રાખીને તેમને તેણે સાંભળ્યા. વિહાર કરતી વેળાયે વળાવવા પણ આવ્યા. સમ્યગજ્ઞાની ગુરૂદેવે કહ્યું કે, અલ્યા કમલ ? તે ઘણીવાર વ્યાખ્યાન શ્રવણ કર્યું. માટે કઈ એક નિયમ લે, તે ઠીક થાય? તને પસંદ પડે એવો ? આચાર્ય મહારાજ ? રાત્રી ભેજન, કંદમૂલ ન ખાવાનો નિયમ મારાથી પાળી શકાશે નહિ. માટે આ વાત મૂકી દે. ગુરૂદેવે પુનઃ કહ્યું કે, તારાથી પાળી શકાય એવો નિયમ લે ? તેમની પણ ગમ્મત કરતાં કહ્યું કે, આ નિયમ આપે તો પાલી શકાય. અમારી પડોશમાં રામલે કુંભાર વસે છે. તેના માથાની ટાલ દેખીને ખાવું. આ નિયમ આપે. આચાર્ય મહારાજે ભવિષ્યનો લાભ દેખી, તે નિયમ તેને આપે અને કહ્યું કે, બરોબર આ નિયમ પણ પાલી શકાશે ને ? વાહ શા માટે નહિ ? જરૂર પાલન કરીશ. તેમજ તેની ટાલ દેખવા પૂર્વક ટપલી મારીને ખાઈશ. પછી કાંઈ ? ગુરૂમહારાજ મનમાં હસ્યા. મારા બેટાએ અહિંઆ પણ ગમ્મત કરી. ઠીક છે. તેમણે અન્યત્ર વિહાર કર્યો. આ ભાઈસાહેબને રામલા કુંભારની ટાલ દેખી, ટપલી મારવામાં મજા પડી. તેથી તેની ટાલને દેખ્યા વિના ખાતે નથી. આ પ્રમાણે બે ત્રણ મહિના લગભગ મજા પડી. પણ એક દિવસ એ સુંદર આવ્યું કે, આ કુંભાર માટી લેવા વહેલ માટખાણે ગએલ છે. અને આ ભાઈને ભૂખ લાગી છે. કુંભારના ઘેર જઈને તેની બાયડીને પુછયું કે, રામલે કયાં ગયે ! આજે દેખાતે
For Private And Personal Use Only