SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપદેશ દેવે જોઈએ. ગૃહસ્થોને પ્રથમ વ્યાવહારિક સ્વરાજ્યની જરૂર પડે છે. કલિયુગમાં કલિયુગના અનુસાર સ્વરાજય હેાય છે અને સત્યયુગમાં સત્યયુગના અનુસાર રાજ્ય વતે છે. સર્વલકને સત્યયુગના સ્વરાજ્યનું ધ્યેય હોય છે પણ વર્તમાનમાં તે વર્તમાન દ્રવ્યક્ષેત્ર કાલભાવાનુસારે રાજ્ય પ્રાય: પ્રવર્તે છે. જે કાલે જેવી રીતે છવાય, વર્તાય તેવી રીતે વર્તવું. થેય ઉચ્ચ હોય છે પણ આખી દુનિયાને ત્રણ પ્રકૃતિની નાનાવિભિન્નતાથી એક સરખી સ્થિતિમાં લાવી સ્થાય નહિ. દેશકાલનુસારે ગૃહસ્થદશાના સ્વરાજ્યની પ્રાપ્તિ માટે ગૃહસ્થોએ પોતાને સુજે તેવા ઉપાયે લેવા, તેમાં ત્યાગીઓની સલાહ લઈ પોતાની સ્થિતિ માટે પિતાની પારિણામિકબુદ્ધિથી વ્યવહારમાં વર્તવું. બાહ્યસ્વરાજ્ય એ અમારી ત્યાગી દષ્ટિએ સ્વરાજ્ય નથી. તેથી અમે તેમાં ફક્ત સદ્ગુણેથી લાયક બની શુદ્ધાત્ર રાજ્યની સાથે બાહ્યસ્વરાજ્યની દશા દર્શાવી છે. બાકી તેઓનું કાર્ય તેઓ જાણ કરી શકે. અમેતે સદ્દગુણે અને સત્યવૃતિનો સદુપદેશ આપી શકવાની દિશા દેખાડી શકીએ છીએ, (સાણંદ પ્ર સમાપ્ત)ભજનસંગ્રહ નવમા ભાગમાં સદગુરૂ સ્વરૂપનામના ગ્રન્થને દાખલ કર્યો છે તેમાં જેનશાસ્ત્રોના આધારે ત્યાગી મુનિયે ગુરૂ હોઈ શકે છે પણ ગૃહને કે જેઓએ ત્યાગીપણું સ્વીકાર્યું નથી તે ત્યાગી ગુરૂ હેઈ શકતા નથી એમ જૈનશાસ્ત્રોના આધારે પ્રતિપાદન કર્યું છે. કેટલાક જેને હાલમાં દશવીશ વર્ષથી ગૃહસ્થ શ્રાવકને મુનિની પેઠે ગુરૂ માની લે છે, તેઓને જૈનશાસ્ત્રાધારે હિતશિક્ષા આપી છે, તેને જેનશાસ્ત્રોને પ્રમાણિક માનનારા જેને વાંચશે તે તેઓને સત્ય સમજાશે. ગૃહસ્થને માટે ગૃહસ્થ ધર્મના સંસ્કાર કરાવનાર ગૃહસ્થ ગુરૂ હોઈ શકે અને તેનું આચાર દિનકરગ્રન્થમાં પ્રતિપાદન કર્યું છે. તેવા ગૃહસ્થગુરૂ વર્ગનું ખંડન કરવામાં આવ્યું નથી પણ આતે જે લેકે ત્યાગમુનિ ગુરુના ઠેકાણે ગૃહસ્થને ગુરૂ માની વર્તે છે અને ત્યાગી શુરૂ, વર્ગનું ખંડન કરે છે, તેઓને જૈનશાસ્ત્રાનુસારે હિતશિક્ષા દર્શાવી છે અને તેઓના હદયમાં રહેલા વિચારને પૂર્વપક્ષ ગણીને For Private And Personal Use Only
SR No.008544
Book TitleBhajanpad Sangraha Part 09
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1923
Total Pages486
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy