________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
ઘા વાગ્યા વણ ઘાયલ કે નહીં થાતું રે, ઘાયલ રે ભજતે હારા નામને, સર્વ નામમાં મહાવીર નામ છે મોટું રે, ભક્તોને પામે તુજ વિશ્રામને. મહાવીર. ૧૧ મહાવીર હારૂં નામ ભજું ને રીનું રે, બીજુંરે નહીં કર્મોદય આવતાં; દેવા કરતાં સહેવું યજ્ઞ મઝાને રે, દેહાધ્યાસ ભૂલીરે પ્રભુમય થાવતાં. મહાવીર. ૧૨ આત્મમહાવીર ભજતાં ભગવંત થાશું રે, આપોઆપ ભેટે ભજવાનું નહીં. બુદ્ધિસાગર જીવંતાં શિવ સુખડરે; આવ્યરે મુક્તિ અનુભવ ઘટ સહી. મહાવીર, ૧૩
महावीर शरण. (પ્રભુ પ્રતિમા પૂછને–એ રાગ.)
અરિહંત મહાવીર શરણ તમારું સ્વીકારે, થાવાનું થાજોરે તુજ રંગે રહ્યો. સર્વગ પ્રવૃત્તિએ તુજ સેવારે, થાશેરે નિષ્કામે ઘટમાં લો; હારીરે કરૂણએ આગળ વહ્યો; પૂરો વિશ્વાસી તારે થયો, અંતમાં આવીને હું અનુભવ કહે. લાખ લાલચથી પણ પડું નહીં પાછેરે, વિઘોરે ભયથી પાછો નહીં વળું.
For Private And Personal Use Only