________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૩૧
છો. હું તમને પ્રદેશ પ્રદેશ શોધી રહી છું, કાશે તમારા ઉપર અંધાર પછેડ આચ્છા છે કે જેનાથી તમે દેખાતા નથી. ધુતારી માયાએ પિતાના કર્મ રૂપ આછાદનેથી તમને ઢાંકી દઈ સંતાડ્યા હોય એમ લાગે છે. અન્યથા તમે દેખાયા વિના રહે નહિ. હે હાલમ આત્મપ્રભો ! તમારા પર મારું સર્વ વારી જાઉ છું. મારું સર્વ તમને સમપું છું. હારા પ્રાણ તમને મળવા તલ્પી રહ્યા છે. ગલીએ ગલીએ અને શેરીએ શેરીએ હે પ્રાણપતિ ! હું તમને શોધું છું. મારા પ્રેમનું એક લક્ષ્ય તમે છે. શરીર રૂપ બ્રહ્માંડમાં આત્માનાં પડ ચક્રો વગેરે શેરીઓમાં અને અનુભવ મેરૂદંડના મણક્યની ગલીએ ગલીએ હે આત્મપ્રભો તમને શોધું છું. સ્થિરતા અને એકતા રૂપ એક ઉપયોગદષ્ટિએ તમારે આવવાને માર્ગ દેખતી છતી બેસી રહીં છું. પરંતુ હજી સુધી હે પરમાત્મપ્રિયનાથ ! હમે આવ્યા નહીં. તેથી એમ લાગે છે કે કેકે રાગાદિકની અશુદ્ધપરિણતિએ આપને કોઈ સ્થાને ભરમાવીને રાખ્યા હશે એમ લાગે છે. હું તમારા આવવાની વાટ જોઈ જોઇને જુરૂ છું. મારી આંખમાં નિન્દ આવતી નથી. હવે તે હે નાથ! શું હવે મહને છતી નછતી કરી નાખવી છે શું ? દયાના સાગર બનીને કેમ નિર્દય બને છે ? શું આવી નિર્દયતાથી વિશ્વમાં તમારું સારું ગણાશે હવે તે હે પ્રાણનાથ!!! પ્રેમથી મનાઈને મારૂ કહ્યું માને અને દર્શન દે મારી પાસે રહે. ક્ષાયિક સમ્યકત્વ રમણતા રૂપરમણ પોતાના આત્મા પ્રભુની વિરહ વેદના રૂપ સહન કરી ન શકવાથી તે આત્મપ્રભુને ઉપાલંભ આપતી છતી કળે છે કે પ્રાણનાથી વિરહ વેદના ૩૫ કટારીના ઘાવથી મારું કાળજું વિંધાઈ ગયું છે અને તેથી હવે હું બેશુદ્ધ બની ગઈ છું. હે નાથ તમારા જેવા દયાના સાગરે મહારા કાલજા પર વિરહ વેદના રૂપ કટારીના ઘાવ કર્યો એ શું ? જગતમાં ઓછું નિન્દ કર્મ છે ? તે જરા વિચારે તે ખરા. હેઆત્મ પ્ર. મારા પ્રાણપ્રિય સ્વામિના વિરહનાં તો ચટકાં હોય પણ તેનાં મટકાં ન હોય પણ આતે તમે મહને વિરહ રૂપ ચટકાને ઠેકાણે મટકા જેવું કર્યું છે અને તેથી હતમને શી ઉપમા આપું તે આપ પોતે વિચારે. મહારઃ સર્વ અપરાધેની ક્ષમા કરીને સમજાયા સમજીને ઘરમાં આવે. બુદ્ધિ અર્થાત જ્ઞાનના સાગર ભૂત એવા હે પરમાત્માસ્વામિન હવે તમે હરખાઈને હેલા દર્શન દે. એમ અન્તરમાં પરમાત્મપ્રભુને રમણતા પરિણતિએ બુદ્ભિાગર કથે છે.
For Private And Personal Use Only