________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આમે.
IR कदापि हाय ना लेशो બુરી છે હાય સન્તની, કરે ક્ષય સર્વને નક્કી જગતના માન સર્વે, કદાપિ હાય ના લેશે. બળે જે સન્ત આન્તરડી, બુરામાં ના રહે બાકી; સતાવીને ગરીબોની, કદાપિ હાય ના લેશે. કદિ ખાલી નથી જાતી, ખરેખર હાય સન્તની; કુતને કરે દૂરે, કદાપિ હાય ના લેશે. અનાથાને સતીઓની, અરેરે હાય છે બુરી; ભલું ચાહે યદિ નિજનું, કદાપિ હાય ના લેશે. વિના વાંકે રીબાવીને, કદિ ના મારશે બાળ; મર્યા પણ મારશે નક્કી, કદાપિ હાય ના લેશે. ઉઠી જે હાય ડુંટીથી, અહા યમસમ મહા બુરી, પડે તેના ગ્રહે પ્રાણે, કદાપિ હાય ના લેશે. છકી જઈ વિત્ત સત્તાથી, ગુજારે ના જુલમ કે પર; નહીં બલ્યા વિના બળે, કદાપિ હાય ના લેશે. ૭ કરી નિન્દા કરી વિકથા, કલ કે અન્ય પર દઈને, પ્રભુના ભકત લેકેની, કદાપિ હાય ના લેશો. ફકીરી ત્યાગીએ બાવા, મહન્તો યેગી સાધુને, અરેરે છેડીને સ્વને, કદાપિ હાય ના લેશે. મુંગાં પ્રાણુ અરે મારી, ઠરી ના બેસશે ઠામે, અરે આંતરડી કકળાવી, કદાપિ હાય ના લેશે. અરે નહિ સાધુએ છેડે, પડી પાછળ પજવશે નહિ, અધાય દુ:ખ લેવાને, કદાપિ હાય ના લેશે. ૧૧ શિખામણ સન્તની એવી, ગ્રહે તેને મળે શાન્તિ; બુદ્ધ બ્ધિ સત સાધુની, ભલી આશી: સદા લેશે. ૧૨ સં. ૧૯૭૨ ના માઘ સુદિ ૧૩
માણસા. # શાન્તિ ૨
For Private And Personal Use Only