________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
૬૪૩
મનાયું સુખ પ્રીતિથી, ખરેખર બ્રાન્તિ તે મનની; નથી સુખ પ્રેમથી કને, જગમાં પ્રેમ ના સા. અરે મુંઝાય છે બુદ્ધિ, ખરેખર પ્રેમના વેગે, નહીં સર્વજ્ઞતા પ્રગટે, જગતમાં પ્રેમ ના સા. અહો રહેવાય ના તે કર, ગુરૂને દેવપર પ્રીતિ, બુદ્ધયબ્ધિ ધર્મ પ્રીતિથી, કર્યા કર ધ્યાન ઈશ્વરનું. સંવત ૧૯૭૧ ના ભાદરવા વદિ ૨ શનિવાર
જૈન વા. શ્રાવણ ગુણ ધારે નહીં, લજવે શ્રાવક નામ; સાચું જે બેલે નહીં, રહે ન શ્રાવક નામ. શ્રાવક નામ ધરાવીને, કરે ન સારાં કામ; સાધુની નિન્દા કરે, જૂઠું શ્રાવક નામ. ગાંઠે નહિ ગુરૂને કદિ, જૂઠા સોગંદ ખાય; લૂલી વશ રાખે નહીં, સ્વાર્થવિષે મકલાય. જૂઠી સાક્ષીઓ ભરે, દેખે ગુરૂના દેષ; નિજ દે દેખે નહીં, રાખે ગુરૂથી રોષ. શ્રાવક સાચે તે નહીં, દેવ દ્રવ્યને ખાય; નામ ધરાવી જેનનું, ગુરૂ પાસ ના જાય. દેવગુરૂને ઓળવે, ફરે બેલીને બોલ; નાસ્તિક મતિ શ્રાવક નહીં, સડેલ કૂટ નિટેલ. કરે ન પોતે ધર્મ કંઈ, વાતમાં હશિયાર, પિતાનામાં પોલ બહ, દેખે નહીં તલભાર. શિખ દેવા સાધુ પ્રતિ, મનમાં રાખે હામ; સડેલ શ્રાવક જાણે, કરે ન ક્યારે ઠામ. લેખ લખે ભાષણ કરે, થાવા આગેવાન કપટકળાને કેળવે, જૂઠે શ્રાવક જાણુ.
For Private And Personal Use Only