SearchBrowseAboutContactDonate
Page Preview
Page 652
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજનપદ્ય સંગ્રહ. ૩ તેમજ છતાં તું ભય ધરે ત્યાં જેર મારૂં છે નહીં, સેવા બજાવું માહારી એ જાણજે નિશ્ચય સહી. તુજને થયે સંતાપરે, કાંઈ મારી ચેષ્ટાથકી, નિન્દુ અને ગહું અહે એ ભાવથી દિલમાં વકી; આ વાતને સાક્ષી પ્રભુ વા ચિત્ત મ્હારૂં જાણવું, મારાવિષે સમજ્યા વિના ઓછું જરા ના આણવું. પરિણામ જેવું ફળ થતું ઉપયોગમાં એવું સદા, સમજી હૃદય મહારૂં અરે તું ભીતિ ના ધરજે કદા; કરૂણા હૃદયને તાર છે એ તાર તવ મન જાણશે, બુદ્ધચબ્ધિ સાચા ભાવથી મેળો હૃદયને માણશે. ૩ રાત રે. ૯ देशसेवा प्रेम. મંદાક્રાન્તા, જેના ચિત્તે પ્રતિદિન વસી, દેશ સેવા મઝાની, જેના ચિત્તે પ્રતિદિન વસી, દેશ ભક્તિ મઝાની, જીવ્યે તે આ અવનીતલમાં, શેષ ના જીવનારા, જાણી માની હદય ઘટમાં, દેશની દાઝ રાખે. આપ્યા ભેગો તનમનતણ, વિતને ખૂબ ખર્યું, તેનું જીવ્યું સફળ જગમાં, દેશ પ્રેમી ગણાત; સેવા સેવા પ્રતિદિન કરે, કાર્ય ચેગી બનીને, કાર્યો તેમાં સફળ જગમાં, દેશને લાભકારી. માતા પેઠે નિશદિન ગણે, માતૃભૂ પ્રીત સારી, માતૃ ભાષા પર બહુ ધરે, શુદ્ધ પ્રીતિ વિચારી; એવા લેકે શુભ ગુણધરા, સર્વનું માન પામે, સ્વાતંત્ર્ય એ પ્રતિદિન વધી, કીર્તિમાં પૂર્ણ જામે. For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy