________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાગ આઠમે.
» ભરિક્ષા, શુક્ર ચેતન! જડને રાગ નિવાર, જડનો રાગ નિવારે ચેતન= સુખની બુદ્ધિ જડમાં માની, મૂઢપણું કેમ ધાર; કેટી ઉપાયે નામ રૂપમય, જડથી સુખ ન ભાળે. ચેતન. ૧ નામ રૂપના રાગે રાચી, રહેતાં નહિ સુખ આરે; સમજી ફરી કયાં ભૂલા ભમતા, અન્તર્ સત્ય વિચારે. ચેતન. ૨ કામ્યભાવના અજ્ઞાને છે, મેહે પુદ્ગલ પ્યારે; અમૃત મૂકી વિષ કયાં ખાતે, નિજ કયાં રૂ૫ વિસારે. ચેતન. ૩ પુદ્ગલ ચુંથણને શું ગૂંથે, શાન્તિ નહીં તલભારે; ત્યાગી દે જડ સુખની બુદ્ધિ, એળે જન્મ ન હાર. ચેતન. ૪ અનુભવગમ્ય સ્વરૂપ કર હારૂં, નાસે વિષય વિકારે; બુદ્ધિસાગર ચેતન ચેતે, દેખ ઘટ ઉજિયારે. ચેતન. ૫
- પત્રોધ. * સદા આત્મોન્નતિ કરવા, પ્રથમ પ્રામાણ્ય ધર અંગે; પ્રવૃત્તિમાં ધરી નીતિ, ગુણે ધર સદગુરૂસંગે. વિચારી બેલને બોલી, ખરૂં જીવન સદા વહેજે; પ્રતિષ્ઠા તેથકી વધશે, વિવેકે કાર્ય કર હારાં. રજસ્ત પ્રેમ વૃત્તિનાં, પ્રવેગે ના ફસાતે કયાં; ખરા સાત્વિકપ્રેમી કે, વિચારી દેખ અંતરમાં. અચલ આત્મોન્નતિ કરવા, પ્રથમ તે સ્વાશ્રયી બનવું; રહી છે દુ:ખના ગર્ભે, ખરી સ્વાત્મોન્નતિ જગમાં, સહ્યા વણ તે વિપત્તિ, કસોટીએ ચડયા વણ તે; થતા સ્વાનુભવી ના કેઈ, થતી સ્વાનુભવે પ્રગતિ. ખરાં આત્મતિ બીજે, રહ્યાં છે દુઃખના માગે, નથી તે દુ:ખ પણ મળતાં, સહી દુ:ખે ગ્રહે બીજે.
For Private And Personal Use Only