SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦૯ નિવેદાય છે. ધર્મી મનુષ્યએ સર્વ પ્રકારની નીતિયોને ભણે તે તેઓ નીતિ સંબંધી સારે ઉપદેશ આપી શકે અને તેથી તેઓ ધમ્યનીતિ અને અધર્મી નીતિને મુકાબલે કરી દુનિયાને સત્ય જણાવી શકે. જ્ઞાન દર્શન અને ચારિત્રની લોકેનેપ્રાપ્તિ થાય તેમાં લોકોને વિદન કરતાં અનીતિ છે. લોકેાના સુખના માર્ગમાં આડા પત્યરાઓ નાંખવા એ અનીતિ છે. લેકિના સદ્દવિચારને અને સદા ચારેને રૂંધવા એ અનીતિ છે. લેકેની શાંતિના માર્ગમાં કાંટા નાખવા એ અનીતિછે. લેકેને સર્વ પ્રકારની શુભાશુભ નીતિનું જ્ઞાન થાય તેવાઓને બંધ કરવા તે અનીતિ છે, મનુષ્યોની સર્વ પ્રકારની શુભ ભક્તિોની ખીલવણીમાં પ્રત્યવાય કરવો એ અનીતિ છે. લોકોને ધર્મભ્રષ્ટ થવાનું જ્ઞાન આપવું તે અનીતિ છે. લેકેને સત્ય ન જાણવા જેવું એ અનીતિ છે. પોતાના આત્માને જે જે પ્રિય છે તે સર્વ મનુસ્યોને પશુઓને પંખીઓને પ્રિય છે એવો ઈશ્વરી નિયમ છે તેને તોડીને સર્વ મનુષ્યોને દુઃખ થાય, એવા માર્ગ લેવા તે અનીતિ છે. અનીતિ. અનીતિ કરવાથી મોટા મોટા મનુષ્યો પણ ભ્રષ્ટ થાય છે. ગ્રીસ જેવું રાજ્ય પણ અનીતિથી કેવી દશામાં આવ્યું તેની ઈતિહાસ સાક્ષી પૂરે છે. ઉત્તતિના સમયમાં રાજ્યમદ, સત્તામર,વ્યકિતમદ, દેશમદ સૈનિક બળવર્ગ વગેરેથી અહંકાર ઉત્પન્ન થાય છે અને તેથી અન્ય મનુષ્યોને સતાવવા પ્રવૃત્તિ થાય છે તેથી અહંકારેની પડતી થયા વિના રહેતી નથી. પિતાને જેવું સુખ ઇચ્છાય છે. એવું જ્યાં અન્યોને ઇછાતું નથી ત્યાં અહંકારને પ્રવેશ થવાની સાથે અનીતિની પ્રવૃત્તિ થાય છે અને તેથી કરવાની અને યાદવોની પેઠે વિનાશકાલ પ્રાપ્ત થાય છે. આ વિશ્વમાં કઈ પણ રાજ્યની, દેશની પ્રજાની એક સરખી ચડતી દશા રહેતી નથી તેનું કારણ ખરેખર રજોગુણ અને તમગુણ અનીતિ છે. રજોગુણી અને તમે ગુણ ઉન્નતિ સદાકાલ એક સરખી રહેતી નથી અને તેમાં અનીતિને પ્રવેશ થયા વિના રહેતો નથી. અનીતિની પ્રવૃત્તિ થવાથી ગરીબોની સાધુઓની આંતરડીની હાય લાગે છે, અને તેથી દેશ રાજ્ય, સંધ, સમાજ, કામ, જ્ઞાતિ, કુટુંબ વગેરેની પડતી થયા વિના રહેતી નથી. આઠ પ્રકારના અહંકારથી, ક્રોધથી ક૫ટથી, લોભથી, ઈર્ષોથી, વૈરથી, કામના વેગથી, સ્વાર્થથી અને દ્રોહથી મનુષ્યો અનીતિમાર્ગ સંચરે છે અને તેથી તેઓનો નાશ થાય છે. યુરેપી મહાયુદ્ધમાં અનીતિએ કરેડે મનુષ્યના નાશમાં મુખ્ય ભાગ ભજવ્યો છે. જે મનુષ્યો સત્તાબનથી, લક્ષ્મી બળથી અનીતિ કરવામાં પાપ પણ ગણતા નથી તેઓની પડતી For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy