SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રસ્તાવના. } શ્રી ભજનપદ્ય સંગ્રહ આઠમા ભાગમાં મુખ્યતાએ અધ્યાત્મજ્ઞાન, સેવાધર્મ, ભક્તિ, ઉપાસના, વૈરાગ્ય, નીતિ, સદાચાર, હાનિકારક રીવાજ નિષેધ, કમ યાગ પ્રવૃત્તિ, આત્મસુધારણા, શિષ્ય સુધારણાન્નતિ, શુદ્ઘપ્રેમ દ્વારા આત્માનું ધ્યાન, પ્રભુ સ્તુતિયેાગ વગેરે વિષયેાના સમાવેશ કરવામાં આવ્યા છે, કેટલાંક આધ્યાત્મિક વિષયાનાં ભજન, પદે તા સ્ફુરણાયાગે ઉદ્ગાર રૂપે નીકળ્યાં છે, અને કેટલાંક પ્રસંગવશાત્ રચાયાં છે. વૈરાગ્ય ભક્તિ સેવા વગેરેના પટ્ટામાં પણુ એ એ પ્રકાર અવમેધવા. આધ્યાત્મિક વિષયમાં સર્વ પ્રકારના અધ્યાત્મજ્ઞાનને સમાવેશ થાય છે, અધ્યાત્મજ્ઞાન યાને બ્રહ્મજ્ઞાન, પરમાત્મજ્ઞાન, આત્મજ્ઞાન સમાન વિશ્વમાં અન્ય કાઇ નાન મહાન નથી, જૈન શાસ્ત્રોમાં વેદાન્ત શાસ્ત્રોમાં, મુસલ્માનેના, સુપ્રીમતમાં, બૌદ્ઘોમાં, પારસીઓના શાસ્ત્રોમાં, અને માધ્મલમાં પશુ અધ્યાત્મજ્ઞાનને મહાન પદ આપવામાં આવ્યું છે. મન, વાણી અને પંચ પ્રકારના શરીરથી વા ત્રણ પ્રકારના શરીરના ધથી ભિન્ન એવા આત્માના શુદ્ધ સ્વરૂપને અનુભવવુ અને આત્માનન્દ પ્રાપ્ત કરવેા, પરમાત્માનું શુદ્ધ સ્વરૂપ અનુભવવુ, અને પરમાત્માના અનંત આનંદ પ્રાપ્ત કરવા, એ સમાન અન્ય કોઇ પ્રાપ્ત કરવા યોગ્ય નથી. સર્વ પ્રકારના અવતારામાં મનુધ્યાવતારની શ્રેષ્ઠતા છે, આ ક્ષેત્ર અને આ મનુષ્યની શ્રેષ્ઠતા છે તેમાં પણ ધર્મની પ્રાપ્તિની દુર્લભતા છે તેમાં પણુ અધ્યાત્મજ્ઞાન અને અધ્યાત્મ ધર્મની પ્રાપ્તિની દુર્લીલતા છે. અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કર્યાં વિના માહ, માયા, અજ્ઞાન, કલેશ, દુઃખ શાક વગેરેને નાશ થતા નથી. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિથી જે આનંદ પ્રાપ્ત થાય છે, તે આનંદ ખરેખર ઇન્દ્ર, ચક્રવર્તિ, શેડ વગેરેની પદવી પ્રાપ્ત થવાથી મળતા નથી. બાલ્યાવસ્થાથી ગુરૂની કૃપાથી અધ્યાત્મ જ્ઞાનપર પૂર્ણ રૂચિપ્રગટી છે તેથી આત્મધ્યાન વગેરેમાં પૂર્ણ પ્રેમ પ્રગટયા છે. આત્માના ગુણે પ્રાપ્ત કરવાના જે પ્રેમ તે શુદ્ધ પ્રેમ છે. આત્માપર શુદ્ધ પ્રેમ પ્રગટયા વિના કર્માંનાં આવરણો ખસતાં નથી અને સમ્યકત્વજ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. કામ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.008543
Book TitleBhajanpad Sangraha Part 08
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages979
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy