________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ખરોએ પ્રેમ પ્રેમીને. ”
કવ્વાલી અમીની આંખ જેવાથી, હૃદય તળપી રહે મળવા; સમર્પણ સર્વનું જેમાં, ખરે એ પ્રેમ પ્રેમીને. સુખે સુખી દુઃખે દુઃખી, વિપત્તિમાં રહે સાથી; નથી જ્યાં સ્વાર્થને છટ, ખરે એ પ્રેમ પ્રેમીને. રગેરગમાં વરસે પ્રેમી, હૃદયને ભેદ નહિ કયારે; ખડાં રોમે દિઠે થાવે, ખરે એ પ્રેમ પ્રેમીને. કરે નિષ્કામથી સઘળું, ગણે નહિ હારૂ કે હારૂં; ભલામાં ભાગ લેવાને, ખરો એ પ્રેમ પ્રેમીને. દગાબાજી નથી કિચિત નથી પરવા નથી લજજા; અભેદોપાસના વર્તિ, ખરે એ પ્રેમ પ્રેમીને. જણાવાનું ખરૂ નકકી, ત્યજાવાનું બુરૂ બાકી ભજાવાની પ્રભુ ભક્તિ, ખરે એ પ્રેમ પ્રેમીને. મળે તે સંપીને ખાવું, વપુથી ભેદ નહિ મનમાં વિચારેને સુધારે જ્યાં, અરે એ પ્રેમ પ્રેમીને. ફરે બ્રહ્માંડ જે સઘળું, તથાપિ સ્નેહ નહીં છું; છુટે જે પ્રાણ શી પરવા?, ખરે એ પ્રેમ પ્રેમીને. નથી ન્હાના નથી મેટા, સદા જ્યાં એકયતા છાજે; રીસાવાનું ગયું સ્વપ્ન, ખરો એ પ્રેમ પ્રેમીને. શરીરે ખાખ જે થવે, થએલા પ્રેમની વૃદ્ધિ બધું પરમાર્થનું કરવું, ખરો એ પ્રેમ પ્રેમીને. કપાતાના ઢગલા, ગુણને થાય ફેલાવે; અનુપમ સુખનું ઝરણું, ખરે એ પ્રેમ પ્રેમીને. વિષય ભિક્ષા ટળે ઈચ્છા, નથી જ્યાં વાસના હોળી. સદા સાત્વિકતા પ્રગટે ખરે એ પ્રેમ પ્રેમીને. મળ્યું કે ના મળ્યું તે શું? નથી સન્માનની ઈચછા; બુદ્ધયધિ તન્મયીમૂર્તિ, બરો એ પ્રેમ પ્રેમીને.
૧૨
સુરત,
For Private And Personal Use Only