________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જગદીપક
૨૩૧
વિ. સં. ૧૯૭૫ માં પાદરામાં મહત્સવ થવાને હતો. અગિયાર અગિયાર નવકારશી થવાની હતી ત્યારે સૂરિજીએ કહ્યું કે, દેશમાં તમારા ઘણા ભાઈઓને એક ટંકનું ય ખાવા મળતું નથી, ત્યારે તમે અગિયાર અગિયાર દિવસ સુધી મિષ્ટાન્ન ઉડાવે તે વાજબી કહેવાય? લોકોને સૂરિજીની વાત સાચી લાગી. પરિણામે વરઘોડાના દિવસે અને શાંતિ–સ્નાત્રના દિવસે બે નવકારશીઓ રાખીને બાકીના જમણવાર બંધ કર્યા. તેઓ ખાસ ભાર દઈને કુરિવાજો અને ખાટા ખચોએથી દૂર રહેવાનું કહેતા.
એક વાર મહેસાણામાં સૂરિજી રસ્તામાં આવતા રામાનંદી સંપ્રદાયના સમર્થરામજી નામના મહંતના મુકામે ગયા. તેઓએ સૂરિજીને આદર સત્કાર કર્યો. બંને સંત વચ્ચે ઘર્મ ચર્ચા અને જ્ઞાનગોષ્ટિ થઈ. બીજે દિવસે સવારે સૂરિજી હંમેશના નિયમ મુજબ લખતા હતા ત્યારે મહેસાણાના વૃદ્ધ શ્રાવક એમની પાસે
v6
For Private And Personal Use Only