________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકના બુદ્ધિસાગરસૂરિજી બહેચર વ્યાકુળ થઈ ગયે. પ્રતિવાદી પાસે આને જવાબ નહોતો. આંખમાંથી ઊંઘ ગઈ, શરીરમાંથી શાંતિ ગઈ, મનમાંથી ચેન ગયું!
બહેચર શહેરની કચેરીમાં કેસ લડે, એની સાથોસાથ એના અંતરની અદાલતમાં પણ કેસ ચાલે. સામસામી દલીલ થાય, આક્ષેપ થાય. અંતે બહેચરને થયું કે વેપારમાં છળકપટ છે, વકીલાતમાં કાળાં– ઘળાં કરવાનાં છે. દુનિયાદારી પ્રપચમય છે, ત્યારે પિતે પિતાના આત્મા સાથે પણ દગો નહિ રમે તેની શી ખાતરી ?
અકળાયેલા બહેચરને શીલ અને સમતાના ધારક સાધુઓ પાસે શાંતિ મળતી. એમની સેવામાં આનંદ મળતે. એમની સ્વસ્થતામાંથી સાચે માર્ગે જીવન જીવવાની કેડી મળતી.
વળી મનમાં એવો વિચાર આવ્યો કે શેઠ નથ્થભાઈએ જનસાધુ બનાવવા માટે જ મારા પર ઉપકાર
For Private And Personal Use Only