________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
' અર્થા–જનાજ્ઞાને સાધવાવાળા સ્વભાવ રમણ કરનારા સૂમ બુદ્ધિથી અવલોકન કરનારા, અને તત્ત્વતથા અતત્ત્વનું જ્ઞાન થવાથી સત્યમાર્ગનું અવલંબન કરનારા શિષ્ય હેવા જોઈએ.
ભાવાર્થ –શિષ્ય જીનેશ્વરની આજ્ઞા પાળનાર હોવા જોઈએ, જ્ઞાન દર્શન અને ચારિત્ર એ જનાજ્ઞાના ત્રણ સ્વરૂપ છે. તેની આરાધના શિખેએ કરવી જોઈએ. જ્ઞાન પા. મવું, શ્રદ્ધા રાખવી અને જ્ઞાન પ્રમાણે વર્તવું એ ત્રણ રીતે જનાજ્ઞા પાળી શકાય. જીનની આજ્ઞા પાળવી એજ જીનેશ્વરની ઉત્કૃષ્ટ ભક્તિ કર્યા સમાન છે
વળી તે સાથે પોતાના સ્વભાવમાં રમણતા કરનારા શિષ્ય હેવા જઈએ સ્વસ્વભાવ રમણતા કરવી એટલે આત્મ યાન કરવું, આત્મા તેજ હું છું એ વિચાર રાખી આત્મસ્વરૂપનું ચિન્તન કરવું. જેનું આપણે ચિંતન કરીએ તેવા આપણે થઈએ, એ નિયમ હેવાથી, આત્મા નું ધ્યાન કરતાં આપણે પણ આત્મસ્વરૂપી થઈ શકીએ. આત્માનું ધ્યાન શી રીતે કરવું, તે શુકલ યાનના ચાર વિભાગ કહેતાં આપણે વિચારીશું, પણ ટુંકમાં અને એટલું જણાવવું ઉપયોગી થશે કે દરેક પિલ્ગલિક વસ્તુ કરતાં આત્મા ભિન્ન છે, તેમજ આત્મા જ્ઞાન દર્શન વગેરે ગુણો સહિત છે. આત્મા અનંત શક્તિવાળે છે, તે નિવિકાર છે, અને મન તથા વાણુથી અગોચર છે; અને ઇન્દ્રિય તથા મનના વિકારે તેને અસર કરી શકવા સમર્થ નથી; આ વગેરે ભાવનાઓ અપ્રમત્તભાવે ભાવવી એ જ આત્મધ્યાન
For Private And Personal Use Only