SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનિત્ય છે, ત્રણે કાળમાં આત્મદ્રવ્ય વિનાશ પામતું નથી, તે અપેક્ષાએ આત્મા નિત્ય છે, પણ તેના પર્યાયમાં ફેરફાર થયા કરે છે, માટે પર્યાયની અપેક્ષાએ તે અનિત્ય ગણાય છે. છવદ્રવ્ય અનન્ત છે. એ કેક જીવમાં અસંખ્યાત પ્રદેશ છે, માટે તે અપેક્ષાએ આત્માનું સ્વરૂપ અનેક છે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ આત્મા એક છે. અને સંગ્રહાયથી તે સંસારી અને સિદ્ધના જ સ્વરૂપે સમાન છે, જીવ પણું એક સરખું હેવાથી જીવનું એકપણું પણ કહી શકાય. આત્મા સ્વદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ સત કહેવાય છે, અને તેજ આત્મા પરદ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ અસત્ કહેવાય છે. આત્માને અનંત ગુણ પર્યાય છે, તેમાંથી કેટલાક કહી શકાય તેમ છે, અને કેટલાક કહી શકાય તેમ નથી. માટે વક્તવ્ય અને અવકતવ્ય એ બન્ને પક્ષ આત્માને લાગુ પાડી શકાય, શ્રી કેવળ જ્ઞાની ભગવાને વસ્તુનું યથાર્થ સ્વરૂપ જ્ઞાનથી જાણ્યું, પણ તેમાંથી નતમે ભાગે જે વકતવ્ય હતું-કહેવા ગ્ય હતું તે કહ્યું, બીજું અવકતવ્ય રહ્યું. આત્મ સ્વરૂપ કહેવાને તીર્થકર જેવા સમર્થ જ્ઞાનીઓએ પ્રયત્ન કર્યો પણ આ વિખરી વાણી દ્વારા તેઓએ તેના સ્વરૂપને કેટલેક ભાગ પ્રદર્શિત કરી શક્યા. એટલે ભાગ જણ તે વક્તવ્ય કહેવાય, અને જે જણાયા વગરને રહે તે અવક્તવ્ય ગણી શકાય. આ રીતે આત્મા વક્તવ્ય તેમજ અવક્તવ્ય કહી શકાય. વળી આત્મામાં આસ્તિપણે તેમજ નાસ્તિપણું છે. આ અસ્તિત્વ અને નાસ્તિત્વ આ આઠ પક્ષમાંના સત્ For Private And Personal Use Only
SR No.008529
Book TitleAtmapradip Granth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1909
Total Pages318
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Soul
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy