________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, ત્યારે ચિંતામણિ રત્ન તે મનમાં ચિંતવેલી–ધારેલી વસ્તુને તરત આપે છે. પણ આ સંબંધમાં વિચારવું કે કલ્પવૃક્ષ અને ચિંતામણિ રત્ન એ જડ પદાર્થ છે, અને જડપદાર્થ જડવસ્તુની પ્રાપ્તિ કરાવી આપે, પણ આમિક રિદ્ધિ તે કદાપિ આપી કે અપાવી શકે નહિ તે અપા વનાર તે જીવતા ગુરૂજ છે. માટે ગુરૂનું માહાન્ય અદ્રભુત છે, તે માહાસ્યનું વર્ણન શબ્દદ્વારા કદાપિ થઈ શકે તેમ નથી
આ જગતમાં ચાર પુરૂષાર્થ ગણવામાં આવેલા છે. તેમનાં નામ ધર્મ, અર્થ કામ અને મેક્ષ છે. ગુરૂને પ્ર. તાપ એટલે બધો છે કે તે ધર્મ, અર્થ, કામ સાધના થઈ શકે છે, ભાવાર્થ એ છે કે ગુરૂપ્રતાપથી ગુરૂકૃપાથી માણસ આ જગતમાં ધર્મ સંબધી કાર્ય કરી શકે છે, અર્થ- ધન પ્રાપ્ત કરી શકે છે, એટલું જ નહિ પણ મનુધ્યને સૌથી ઉત્તમત્તમ પુરૂષાર્થ એક્ષ તે પણ ગુરૂ પ્રતાપથી મળે છે. આ રીતે વિચાર કરતાં આપણને જણાય છે કે ગુરૂપ્રતાપથી ચારે પુરૂષાર્થ સધાય છે. એક પણ પુરૂષાર્થ જેની સહાયતા વડે સાધી શકાય, તે પુરૂષને. પણ ઉપકાર આપણે વાળી શકવા સમર્થ થતા નથી, તે પછી જેની કૃપા વડે અને જેના પ્રતાપ વડે ચાર પુરૂષાર્થ સહજમાં સાધી શકાય તેવા ગુરૂની જેટલી પ્રશંસા કરીએ. તે ઓછી કહેવાય છે ૨
अवतरणम्-दुरवगमशास्त्रमर्म नो विदन्ति सवें य सहस्र
For Private And Personal Use Only