________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ–વિવેકી પુરૂએ પુદગલ સ્કલ્પરૂપ કર્મને ત્યાગ કર જોઈએ. કારણ કે તે કર્મવડે આત્મા ચૈતન્ય રૂપ હોવા છતાં પણ પુદ્ગલ જે દેખાય છે.
ભાવાર્થ–આત્મા સ્વભાવે શુદ્ધ અને નિર્મળ છે, પણ કર્મથી બંધાયેલું હોવાથી તેનું સ્વરૂપ બરાબર આ પણ કન્યામાં આવતું નથી. તે કર્મ પુદ્ગલના સ્કંધરૂપ છે. આત્મા સમયે સમયે પુગલ સ્કધે ગ્રહણ કરે છે. જુનાં કમ ભેગવ્યાથી ખરે છે, અને નવાં કર્મ બંધાય છે, આ રીતે કર્મને પ્રવાહ ચાલ્યા જ કરે છે. જ્યાં સુધી માણસને આત્મસ્વરૂપ સમજાયું નથી, અને જ્યાં સુધી તે જગતના પિગલિક પદાર્થો પ્રતિ રાગદ્વેષ રાખે છે, ત્યાં સુધી તે અજ્ઞાનતાને લીધે કરેલા કાર્યથી દરેક ક્ષણે નવું કર્મ ઉપાર્જન કરે છે. ક્ષીર અને નીરના સંયોગ પ્રમાણે કર્મ સમૂડ આત્મા સાથે મળી ગયેલું છે. તે કર્મના આઠ પ્રકાર છે, તેનું વિશેષ વર્ણન તેના ભેદે સાથે જેને ગ્રંથમાં વર્ણવેલું છે, અને તે તેના નામ અને તેનું સામાન્ય સ્વરૂપે વર્ણવી ચલાવીશું. પ્રથમ બે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ આત્માના જ્ઞાન અને દર્શન રૂપ બે સ્વરૂપને આચ્છાદિત કરે છે, અને તેથી આત્મ જ્ઞાન થતું નથી; અને ત પર સંપૂર્ણ શ્રદ્ધા થતી નથી. મોહનીય કર્મ મેહ ઉત્પન્ન કરે છે, અને રાગ અને દેવથી ઉત્પન થાય છે. વેદનીય કર્મને લીધે સુખ અને દુખ મળે છે. આયુષ્ય કર્મ અમુક ગતિમાં અમુક શરીરમાં અમુક કાલ પર્યત રહેવું પડશે તેની હદ બાંધે છે.
For Private And Personal Use Only