________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૬
અવતરણ–આ પ્રમાણે અત્યાર સુધી જુદાં જુદાં વિશેષણે આપી આમ સ્વરૂપ સમજાવવા પ્રયત્ન કરવામાં આવ્યું. હવે આત્માના ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે, તે બતાવે છે. તે ત્રણ વિભાગ બહિરાભા, અન્તરામા અને પરમાત્મા; આ ત્રણનું સ્વરૂપ સમજી આપણે તેમના સંબં. ધમાં કેવી વૃત્તિ રાખવી તે હવે ગ્રન્થકાર પાંચ કલેકથી દર્શાવે છે. તેમાં પ્રથમ બહિરાત્માનું સ્વરૂપ જણાવેલું છે.
અર્થ–બાહા ઉપાધિ વગેરે ભેદથી આત્માને ત્રણ પ્રકારને જાણ. જેને શરીર વગેરેમાં આત્માની બુદ્ધિ છે, તે મનુષ્યને બહિધી–બહિરાત્મભાવવાળે જાણ છે ૮૧ છે
ભાવાર્થ –આત્મા વસ્તુતઃ એક છે, છતાં જુદી જુદી ઉપાધિના સંબંધમાં આવતાં તે ત્રણરૂપે પ્રકાશે છે. તેથી કરી તેના ત્રણ વિભાગ પાડવામાં આવેલા છે. તે ત્રણ વિ. ભાગ નીચે પ્રમાણે છે. (૧) બહિરાત્મા, (૨) અંતરાત્મા, (૩) પરમાત્મા. બાહ્ય વસ્તુમાં આત્મ બુદ્ધિવાળો તે બહિરાત્મા; સમ્યકત્વ પામેલે જીવ અન્તરાત્મા કહેવાય છે, તેરમા ગુણસ્થાનકવાળા તથા અાગી તે સર્વ પરમાત્મા કહેવાય છે. આ તેના મૂળ સ્વરૂપે તેની વ્યાખ્યા થઈ. હવે તેમાંથી પ્રથમ બહિરાત્મ ભાવનું સ્વરૂપ વિચારીએ. શરીર વગેરે બાહ્ય પિાગલિક જડ વસ્તુમાં મારાપણાને ભાવ ઉત્પન્ન કરે, તે વસ્તુઓ એજ આત્મા છે, એમ માનવું, આ સર્વ બહિરાત્મભાવ છે. આ ભાવને લીધે પુરૂષ ઘણી વાર એમ કહે છે કે... હું રૂપાળો છું, હું કાળો છું, હું દરિદ્ર છું, હું ધનવાન છું, ” આ સર્વ વિશેષણો ખરી રીતે શરીર તથા બાહ્ય
For Private And Personal Use Only