________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१६३ ભાવાર્થ-આ ચેતના આત્મસંમુખ શી રીતે વળે તે ઉપાય વિચારવાનું છે. કારણ કે તેમ થયા પછી વિશેષ કર્તવ્ય રહેતું નથી. જેનું ચિતન્ય આત્મામાં રમે છે, તે ઘણીજ ત્વરાથી કર્મબંધને વિછેદ કરી શકે છે. પણ આ ચેતના આત્માભિમુખી શી રીતે થાય તે બાબત ઉપર આ. પણે યથાશક્તિ યથામત વિચારીશું. પ્રારંભમાં ચેતના બહિવિષયમાં ભટકે છે; ત્યાં સુખ મળશે એમ ધારી વિષયે મેળવવામાં અને તેને ઉપભોગ કરવામાં ચેતના કાર્ય કરે છે; પણ અનુભવ થતાં-કડવો અનુભવ થતાં–જણાય છે કે વિષયમાં મળતું સુખ ક્ષણિક છે. તે સુખ દુઃખથી પૂર્ણ લાગે છે. માટે તે ચેતના ધીમે ધીમે તે પ. દાર્થો ઉપર મમત્વભાવ ઓછો કરતી જાય છે. ઈદ્રિના વિષયના પદાર્થો મળે તેમાં તે ચેતના આસક્ત થતી નથી, તેમ ન મળે ખિન્ન થતી નથી, આ પ્રમાણે અનુભવ મેળવ્યા પછી મનમાં સુખ મેળવવા મથે છે. મનથી ઉપજતું સુખ ઈન્દ્રિયોથી મળતા સુખની અપેક્ષાએ વધારે નિત્ય છે, છતાં તે સુખને પણ અંત આવે છે. તે સુખથી પણ ચેતના અંતે કંટાળી જાય છે. કારણ કે માનસિક સુખ પણ બાહ્ય વસ્તુઓ ઉપર ઘણે ભાગે આધાર રાખે છે. પોતે વિ. દ્વાન થાય, લેખક થાય, છટાદાર ભાષણકર્તા થાય, તે પણ તેને અંતરમાં આનંદ મળતું નથી, કે તેની વિદ્વતાના વખાણ કરે, તેના ગ્રન્થની પ્રશંસા કરે, તેના ભાષણ સાંભળી વાહવાહ બોલે. ત્યારે જ તેને આનંદ મળે છે. જ્યાં સુધી તે લોકેના ઉપર સુખને સારૂ આશા રાખે છે, ત્યાં
For Private And Personal Use Only