________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१३२ જિન જે નિજ આત્મા, નિશ્ચય ભેદ ન પંચ, એજ સાર સિદ્ધાંતને છેડે સહુ પ્રપંચ.
આવા ઘણાં વાક્યો આત્મજ્ઞાન રસિક પુરૂષના બોધદાયક વચનમાં અંતબૂત થયેલાં માલુમ પડે છે. માટે. આપણે આત્મા અહંદુ ભગવાન સ્વરૂપીજ નિશ્ચયનયથી છે. વળી આત્મા મોક્ષ સ્વરૂપ છે. આત્મા શુદ્ધ નિશ્ચયથી જોતાં કર્મ બંધનથી રહિત છે પણ જ્યાં સુધી તે સ્વરૂપને અનુભવ– સાક્ષાત્કાર થયો નથી ત્યાં સુધી તે આત્માને વ્યવહારથી કર્મબંધ માનવો જોઈએ. અહપ્રભુમાં જે ગુણો પ્રગટપણે વર્તે છે. તે આપણામાં સત્તારૂપે રહેલા છે માટે જરાપણ ખેદ ધર્ય સિવાય અથવા આપણે આત્મા હલકે છે, એ નિરુત્સાહને પ્રેરનારે વિચાર લાવ્યા સિવાય ઉદ્યમ કર, અને ઉ. ઘમથી કર્મમાત્ર ક્ષીણ થશે, અને આત્માનુભવ થશે. કારણકે આમા સ્વભાવે નીચ નહિ પણ ઉત્કૃષ્ટ છે. એ ઉકૃષ્ટતા. ને ખ્યાલ ક્ષણે ક્ષણે લાવવું જોઈએ. વળી આત્મા જ્ઞાનથી અભિન્ન છે, એટલે આત્મા જ્ઞાનસ્વરૂપી છે. વસ્તુતઃ જ્ઞાન, એજ આત્મા છે. પણ જે જ્ઞાન એજ આત્મા એમ માનીએતે ગુણ અને ગુણની એકતા માનવી પડે અને તે જૈનશાસ્ત્ર પ્રમાણે વિરૂદ્ધ છે. ગુણ ગુણથી ભિન્નભિન્ન છે. ગુણ કથંચિત્ ભિન્ન છે, અને કથંચિત્ અભિન્ન છે માટે તેને શાસ્ત્રકારોએ ગુણીથી ભિનાભિને માન્ય છે. તે ન્યાચથી આત્મારૂપી ગુણીને જ્ઞાન ગુણ સાથે ભિન્નભિન્ન સં. બંધ છે. આત્મા સિવાયની દરેક વસ્તુ ય-જાણવા યોગ્યછે, તેને જ્ઞાતા આત્મા હોવાથી તે જ્ઞાનસ્વરૂપ છે, વળી
For Private And Personal Use Only