________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨
કરીને ભદધિ પાર પામીશ એમ જાણ. માટે દશ્ય જડ બાહ્ય દેહાદિક પદાર્થોની આસક્તિને ત્યાગ કરીને આત્મામાં જ પ્રીતિ ધારણ કરે. ગાયની વાછરડા પર જેવી પ્રીતિ હોય છે, માની લઘુ બાલક પર જેવી પ્રોતિ હોય છે, કામી પુરૂષની પિતાની પ્રિયા પર જેવી પ્રીતિ હેય છે, કંજુસની લક્ષ્મી પર જેવી પ્રીતિ હોય છે, તરૂણની પ્રિય તરૂણી સ્ત્રી પર જેવી પ્રીતિ હોય છે તેના કરતાં જયારે આત્માપર અનંતગણુ પ્રીતિ થાય છે ત્યારે આમાં આપોઆપ પ્રભુરૂપે પ્રકાશે છે. હે આત્મન !! તું સર્વ દેખતે છો પણ આત્મામાં સુરતા-સ્મૃતિ ધારણ કર !! આમારૂપ પ્રભુ વિના અન્ય કોઈ ઈશ્વર, જડ વિગેરે વસ્તુઓને જ્ઞાતા નથી, માટે સર્વ વિશ્વમાં આત્મા મહાન છે એમ જાણ!! આત્મા અનુપમ છે. આત્મા, સર્વ જડ જગને જાણે છે પણ જડ જગત કંઈ આત્માને જાણી શકતું નથી. આમામાંથી આનંદ આવે છે. સર્વજડવિશ્વમાં આત્મા જ આનંદભોક્તા છે એવા આત્માનો પૂર્ણ વિશ્વાસ કરીને મુનિ આત્મામાં રમે છે અને જ્યાં ત્યાં આત્માની ધારણ કરી આત્માને અનુભવે છે.
For Private And Personal Use Only