________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
તેનું આધ્યાત્મિક દૃષ્ટિએ વિવેચન, સુન્દર અને સરલ અર્થભરી એવી તે ઉત્તમ શૈલીમાં ચણ્યું છે કે તે પ્રક્ટ કરવાથી ઘણા જીજ્ઞાસુઓ તેનો લાભ લઈ શકશે. એક તે શ્રીમદ્દ મણિચંદ્રજી ઉત્તમ કોટિના આધ્યાત્મિક દ્રષ્ટિવાળા સંતજન તેમણે રચેલી સઝા પર અર્થ ભરનાર ગિનિષ્ઠ આધ્યાત્મજ્ઞાન રસિક કવિરાજ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજ જેવા ઉત્કૃષ્ટ વિવેચનકાર, પછી તેમાં કે રસ ઉછળે તે તો તેના અભ્યાસીજ સમજી-અનુભવી શકે. આત્મજ્ઞાન રસપિપાસુઓને એકવાર અવશ્ય આ રસસાગરમાં ડૂબકી મારવાની અમારી આગ્રહપૂર્વક વિનંતી છે.
૨૧ સઝા ઉપરાંત આમાં પાંચ અનુષ્ઠાન ઉપરના દુહાનું વિવેચન તથા શ્રી વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન શ્રી મણિચંદ્રજીએ રચ્યું છે તે આમાં આપ્યું છે. આમ દ્રવ્યાનુયોગ જેવા ગહન વિષયને ચર્ચનાર ૨૧ સજઝાયો ઉપર શ્રી ગુરૂમહારાજના વિવેચનનું આ પુસ્તક જ્ઞાનરસિક જનોના આત્માના કલ્યાણને અર્થે હે ! - આ ગ્રંથ પ્રકટ કરવામાં પેથાપુરવાસી સદ્દગૃહસ્થ શ્રાવક શેઠ મેહનલાલ હાથીભાઈએ રૂા. ૨૦૦) ની મદદ આપી છે તે માટે મંડળતરફથી ઉપકાર સાથે તેમને ધન્યવાદ આપવામાં આવે છે. પાદરા વિ ૧૯૮૧ શ્રી એ. જ્ઞા, પ્ર. મંડળ. વસંતપંચમી. હા. વકીલ મોહનલાલ હીમચંદ.
For Private And Personal Use Only