________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે. આત્મજ્ઞાની ભૂતકાલ સંબંધી વિચાર કરતો નથી. ભૂતકાળમાં થયેલા અશુદ્ધપર્યાનું સ્મરણ કરવાથી કંઈ ફાયદો થતો નથી. વર્તમાનમાં પણ આત્માના શુદ્ધગુણ પર્યાનું સ્મરણ, થાન તથા ઉપગ ધારણ કરવો જોઈએ. બહિરાત્મભાવનાં કારણે જે મિથ્યાત્વ વિગેરે છે તેનાથી જ્ઞાની દૂર રહે છે. તેઓ આત્માથી ભિન્ન બાહ્ય વસ્તુઓમાં રાગ દ્વેષ કરતા નથી. બાહ્યદેહાદિક જડ વસ્તુઓમાં અહંમમત્વભાવની કલ્પના કરતા નથી. પ્રારબ્ધકર્મથી થતી શાતામાં અને અશાતામાં તેઓ મુંઝાતા નથી. આત્મજ્ઞાનીએ જગતમાં આત્મામાં–જ્ઞાનાનન્દમાં જ સારપણું દેખે છે અને આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, એ ચાર અને નંત ચતુષ્ટયમાં સારપણું લેખી તેમાંજ મગ્ન-રસિયા–મસ્ત બને છે. તેઓને બાહ્યમાં ગમતું નથી. તેઓ આહારાદિક દેહક્રિયાઓને કરે છે. પણ નિર્મોહભાવે કરે છે તેથી તેઓ અકિય અભોગી રહે છે.
સાથ રે I अंतर प्रातममांही रहेतो ॥ परमातमने ध्या
For Private And Personal Use Only