________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
बन्धोऽस्ति मोहभावेन बाह्यतो निष्क्रियावताम् । मोहं विना तु निर्बन्धा बाह्यतः कर्मकारिणः ॥३७६ ॥
બહારથી ક્રિયા વિનાના લોકોને મોહભાવથી બંધ છે, જ્યારે મોહ વિના કર્મ કરનારાઓ તો નિબંધ રહે છે. (૩૭૬)
परस्परोपकाराय जीवाजीवाश्च सर्वदा । विश्वस्थसर्वजीवानां परस्परमुपग्रहः ॥ ३७७ ॥
જીવો અને અજીવો હંમેશા પરસ્પર ઉપકારને માટે થાય છે. વિશ્વમાં રહેલા બધા જીવોનો પરસ્પર ઉપગ્રહ અર્થાત ઉપકાર છે. (૩૭૭)
जीवाजीवसहायेन जीवा जीवन्ति भूतले। मनुष्याणां विशेषेण जीवाजीवसहायता ॥३७८ ॥
જીવ અને અજીવની સહાયથી પૃથ્વીના તલ પર જીવો જીવે છે. મનુષ્યોને વિશેષ કરીને જીવ અને અજીવની સહાયતા હોય છે. (૩૭૮)
महीचन्द्रार्कसहाय्याज्जीवानां जीवनं भवेत् । मातुः पितुश्च वृद्धानां निमित्तैरस्ति जीवनम् ॥ ३९९ ॥
પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની સહાયથી જીવોનું જીવન ટકે છે. માતા, પિતા અને વૃદ્ધોનાં નિમિત્તોથી જીવન છે. (૩૭૯)
अन्नपानाद्युपायैस्तु लोकानामस्ति जीवनम् । जीवाजीवादितः सर्वमन्नादिकं मिलेद्यतः ॥३८० ॥
અન્ન, પાન વગેરે ઉપાયોથી તો લોકોનું જીવન છે. જીવ અને 2004 माहिथी अन्न वगैरे मधु भणे छे. (3८०)
For Private And Personal Use Only