________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
आत्मोपयोगतो जीव मा जीव मोहवृत्तितः। सुखाद्यर्थं जेडषु त्वं ग्राह्यत्याज्यमति त्यज ॥१९६ ॥
આત્મોપયોગથી જીવન જીવ. મોહવૃત્તિથી ન જીવ. સુખ વગેરે માટે તું જડ પદાર્થોમાં ગ્રાહ્ય અને ત્યાજ્યની બુદ્ધિને છોડી દે. (૧૯૬)
जीवनं स्वाऽऽत्मभावेन मृत्युर्हि मोहभावतः। मोहमृत्यु परित्यज्य नित्यं जीव निजाऽऽत्मनि ॥१९७॥
ખરેખર પોતાના આત્મભાવથી જીવન છે અને મોહભાવથી જ મૃત્યુ પ્રાપ્ત થાય છે. માટે મોહમયે મૃત્યુનો પરિત્યાગ કરીને હમેશાં પોતાના આત્મામાં રહીને જ જવું. (૧૯૭).
मोहभ्रान्त्या चिदाऽऽत्मानं स्वाऽऽत्मानं नैव विस्मर। स्वयं स्वाऽऽत्मनि विज्ञाय स्वस्य स्मर्ता स्वयं भव ॥१९८॥
મોહથી ઉત્પન્ન થયેલી ભ્રાંતિ વડે ચિદાત્મા એવા પોતાના આત્માને જ ભૂલ મા. પોતાના આત્મામાં પોતાને જાણીને તું પોતે પોતાનું સ્મરણ કરનાર થા. (૧૯૮).
शुद्धोपयोगतो जाग्रद् भव त्वं हि प्रतिक्षणम् । ज्ञाते सर्वजडे किं स्यादात्मानं विद्धि बुद्धितः॥१९९ ॥
તું ખરેખર પ્રતિક્ષણ શુદ્ધોપયોગથી જાગ્રત થા. બધા જડ પદાર્થોને જાણવાથી શું થાય? તું બુદ્ધિથી આત્માને જાણ. (૧૯૯).
ग्राह्यत्याज्यमनोवृत्तिर्यावन्मोहात् प्रवर्तते । तावदात्मनि चाञ्चल्यं पूर्णस्थैर्यं न जायते ॥२०० ॥
જ્યાં સુધી મોહથી ગ્રહણ કરવાની અને ત્યાગ કરવાની મનોવૃત્તિ પ્રવર્તે છે, ત્યાં સુધી આત્મામાં ચંચલતા રહે છે અને પૂર્ણ સ્થિરતા થતી નથી. (૨૦૦)
૪૦ For Private And Personal Use Only