________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
अनन्तवीर्य आत्माऽहमनन्तज्योतिषः प्रभुः । देहस्थोऽपि न देहोऽहं बहिरन्तः प्रकाशकः ॥ १६१ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનંત વીર્યવાળો એવો હું અનંત જ્યોતિનો સ્વામી તેમજ બહાર અને અંદર પ્રકાશ કરનાર આત્મા છું. દેહમાં રહેલો હોવા છતાં હું દેહ નથી. (૧૯૬૧)
सर्वधर्मास्तु सद्रूपा आत्माऽऽधार प्रजीवकाः । ध्रौव्योत्पादव्ययीरूप आत्माऽहं द्रव्यपर्यवैः ॥ १६२ ॥
આત્માના આધારરુપ ઉત્કૃષ્ટ જીવનને કરનારા સર્વધર્મો તો સટ્રૂપ છે. દ્રવ્ય અને પર્યાયોથી હું ધ્રૌવ્ય, ઉત્પાદ અને વ્યયરુપ આત્મા છું. (૧૬૨)
पर्यायैः सदसद्रूपैः सर्वविश्वमयो विभुः ।
आत्माऽस्मि सत्तया चैको व्यष्टि समष्टिमान् स्वयम् ॥ १६३॥
સદ્ અને અસદ્રૂપ પર્યાયો વડે સર્વ વિશ્વમય વિભુ સત્તાથી એક એવો હું પોતે વ્યષ્ટિ અને સમષ્ટિવાળો આત્મા છું. (૧૬૩)
संसारिविश्वजीवानां संघो वै राट् प्रभुर्महान् । षड्द्रव्यात्मकलोकस्य जगत्त्वं च समष्टिता ॥ १६४ ॥
સંસારી સર્વ જીવોનો સંઘ જ રાજા તથા મહાન પ્રભુ છે અને છ દ્રવ્યવાળા લોકોનું જગતપણું તે સમષ્ટિતા છે. (૧૬૪)
आत्मैवाऽस्ति महाब्रह्मा केवलज्ञानतः स्वयम् । आत्मैवाऽस्ति महाविष्णुः शुद्धचारित्रयोगतः ॥ १६५ ॥
આત્મા પોતે જ કેવળજ્ઞાનથી મહા બ્રહ્મા છે. આત્મા પોતે જ શુદ્ધ ચારિત્રના યોગથી મહાવિષ્ણુ છે. (૧૬૫)
૩૩’
For Private And Personal Use Only