________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
इन्द्रस्थाने वने गेहे शुद्धोपयोगमन्तरा । आत्मानन्दो भवेन्नैव दुःखं सर्वत्र मोहतः ॥ १२६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વર્ગમાં, વનમાં કે ઘરમાં શુદ્ધોપયોગ વિના આત્માનો આનંદ હોતો જ નથી. મોહથી સર્વ સ્થળે દુઃખનું જ કારણ થાય છે. (૧૨૬)
चक्रिणां न सुखावाप्ति धनसत्तादिभोगतः । आत्मन्येव सुखं सत्यं नाऽन्यत्राऽस्ति जगत्त्रये ॥ १२७ ॥
ધન, સત્તા ઈત્યાદિના ભોગથી ચક્રવર્તીઓને સુખની પ્રાપ્તિ થતી નથી. સત્ય સુખ આત્મામાં જ છે, પણ ત્રણે જગતમાં બીજે ક્યાયં નથી. (૧૨૭)
आत्मानमन्तराऽन्यत्र मूढा भ्रमन्ति शर्मणे ।
पूर्णानन्दमयः स्वात्मा तत्राऽऽनन्दं प्रशोधय ॥ १२८ ॥
મૂઢ લોકો સુખ માટે આત્મા સિવાય બીજે ઠેકાણે ભમે છે. પોતાનો આત્મા પૂરેપૂરો આનંદમય છે. ત્યાં જ તું આનંદને શોધ. (૧૨૮)
देहेन्द्रियसुखभ्रान्त्या भोगेषु भ्रमणं भृशम् । केवलं दुःखभोगार्थं ज्ञात्वाऽऽत्मनि स्थिरो भव ॥१२९॥
દેહ અને ઈન્દ્રિયોનાં સુખની ભ્રાન્તિથી ભોગોમાં ખૂબ ભ્રમણ માત્ર દુઃખ ભોગવવા માટે થાય છે.-એમ જાણીને તું આત્મામાં સ્થિર થા. (૧૨૯)
भोगतृष्णोदधेः पारं यातः कोऽपि न यास्यति । ज्ञात्वा शुद्धोपयोगेन भोगबुद्धिं निवारय ॥ १३० ॥
ભોગ અને તૃષ્ણાના સમુદ્રનો પાર કોઈ પામ્યો નથી અને પામશે પણ નહી. - એમ જાણીને તું શુદ્ધોપયોગ વડે ભોગબુદ્ધિને દૂર કર. (૧૩૦)
૨૬
For Private And Personal Use Only