________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
प्रारब्धकर्मतो दुःखं सुखं च वेदयन् स्वयम् । आत्मोपयोगतः साक्षी भूत्वा जीवति भूतले ॥१०१ ॥
પ્રારબ્ધ કર્મથી સુખ અને દુઃખને વેદતો સ્વયં આત્મોપયોગથી સાક્ષી થઈને ભૂતળ પર જીવે છે. (૧૦૧)
दुर्गुणव्यसनत्यागो ग्राह्यं सात्त्विकभोजनम् । सतां सङ्गाच्च चित्तस्य शुद्ध्या ब्रह्म प्रकाशते ॥१०२॥
દુર્ગુણો અને વ્યસનોનો ત્યાગ કરવો જોઈએ તથા સાત્ત્વિક ભોજન પ્રહણ કરવું જોઈએ. પુરુષોના સંગથી અને ચિત્તની શુદ્ધિથી બ્રહ્મ પ્રકાશે છે. (૧૦)
रागद्वेषविमुक्तात्मा शुद्धब्रह्म स्वयं भवेत् । देशजात्यादिनिर्मोही व्यक्तब्रह्म महाप्रभुः ॥१०३ ॥
રાગ અને દ્વેષથી મુક્ત થયેલો આત્મા સ્વયં શુદ્ધ બ્રહ્મ થાય છે. દેશ, જાતિ આદિના મોહ વગરનો તે જ વ્યક્તબ્રહ્મ મહાપ્રભુ છે. (૧૦૩)
देहाध्यासादिनिर्मुक्तो जीवनमुक्तो भवेज्जनः। समः सर्वत्र भूतेषु सर्वधर्मेषु च प्रभुः ॥१०४ ।।
દેહાધ્યાસ આદિથી મુક્ત થયેલો માણસ જીવન્મુક્ત બને છે. સર્વત્ર પ્રાણીઓ પ્રત્યે સમભાવવાળો છે અને તે બધા ધર્મોમાં પ્રભુ છે. (૧૦૪)
व्यक्तः प्रभुर्निजाऽऽत्मैव साम्यं प्राप्य प्रजायते । વીતરી સ્વયંવૃદ્ધ : પરમેશ્વર ૨૦ળ્યું છે
સમભાવને પ્રાપ્ત કરીને પોતાનો આત્મા જ સ્પષ્ટપ્રભુ, વીતરાગ, સ્વયંબુદ્ધ, શંકર અને પરમેશ્વર છે. (૧૦૫)
૨૧
For Private And Personal Use Only