________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
शुद्धात्मनि मनो दत्त्वा नाऽन्यत् किञ्चिद्विचिन्तयेत् । यदा स्थिरोपयोगी स्यात्तदाऽऽत्मेश्वरतां व्रजेत् ॥९६ ॥
“શુદ્ધાત્મામાં મનને સ્થાપીને બીજું કાંઈ પણ વિચારે નહીં-' આ પ્રમાણે જયારે સ્થિર ઉપયોગવાળો થાય છે, ત્યારે આત્મા જ ઈશ્વરપણું પામે છે. (૯૬)
आत्मानमन्तरा मह्यां किञ्चित् सारो न भासते। तदा ब्रह्मानुभूत्यर्थं योग्यो भवति मानवः ॥ ९७ ॥
જ્યારે પૃથ્વી પર આત્મા સિવાય બીજું કાંઈ પણ સાર રુપ ન જણાય, ત્યારે જ મનુષ્ય બ્રહ્મની અનુભૂતિ માટે યોગ્ય બને છે. (૯૭)
यदा ब्रह्मानुभूयते पूर्णानन्दरसोदधिः । तदा प्रसन्नताव्यक्तः शुद्धात्मा भवति स्वयम् ॥ ९८ ॥
જ્યારે બ્રહ્મ અનુભવાય છે, ત્યારે પૂર્ણાનંદરુપી રસનો સમુદ્ર એવો શુદ્ધાત્મા સ્વયં પ્રસન્નતાથી વ્યક્ત થાય છે. (૯૮)
यदा ब्रह्मरसो व्यकतः स्यात्तदाऽऽत्मा स्वयं प्रभुः । नेच्छति जडभोगान् स जडानन्दविनिस्पृहः ॥९९ ॥
જ્યારે બ્રહ્મરસ વ્યક્ત થાય છે, ત્યારે આત્મા પોતાની મેળે પ્રભુ બને છે અને જડ પદાર્થોથી ઉત્પન્ન થતા આનંદની સ્પૃહા વગરનો તે જડપદાર્થોના ભોગોને ઈચ્છતો નથી. (૯૯).
आत्मन्येव रतिं प्राप्य स्वात्मन्येव स्थिरो भवेत् । नामरूपेषु निर्मोह आयुर्योगेन जीवति ॥१०० ॥
નામ અને રુપમાં મોહરહિત આત્મામાં જ રતિ પ્રાપ્ત કરીને પોતાના આત્મામાં જ સ્થિર થાય છે અને આયુષ્ય-કર્મના યોગે જીવે છે. (૧૦૦)
૨૦
For Private And Personal Use Only