________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सिद्धाःसिद्ध्यन्ति सेत्स्यन्ति नग्नाश्चोपधिधारिणः ।
आत्मशुद्धोपयोगेन त्यागिनश्च गृहस्थिताः ॥८६॥ દિગંબરો અને ઉપધિ ધારણ કરનારા શ્વેતાંબરો તેમ જ ત્યાગીઓ અને ગૃહસ્થો આત્મશુદ્ધોપયોગ વડે જ સિદ્ધ થયા છે, સિદ્ધ થઈ રહ્યા છે અને સિદ્ધ થશે. (૮૬)
पूर्णानन्दसमुल्लास आत्मनि संप्रकाशते । आत्मानुभव एवाऽत्र साक्षादाऽऽत्मनि वेद्यते ॥ ८७ ॥
પૂર્ણાનંદનો ઉલ્લાસ આત્મામાં સારી રીતે પ્રકાશે છે અને અહીં જ આત્માનો અનુભવ આત્મામાં સાક્ષાત્ અનુભવાય છે. (૮૭)
शुद्धब्रह्मरसास्वादं कृत्वा शुद्धोपयोगिनः । बाह्योपाधिं परित्यज्य भवन्ति ध्यानतत्पराः ॥८८ ॥
શુદ્ધબ્રહ્મનો રસાસ્વાદ કરીને શુદ્ધોપયોગવાળાઓ બાહ્ય ઉપાધિનો પરિત્યાગ કરીને ધ્યાનમાં તત્પર થાય છે. (૮૮).
शुद्धोपयोग एवाऽस्ति स्वात्मानुभव आत्मनि । आत्मानुभविभिर्वेद्य आत्मैवाऽनुभवः प्रभुः ॥८९ ॥
આત્મામાં જ પોતાના આત્માનો અનુભવ એજ શુદ્ધોપયોગ છે. આત્માનુભવીઓ દ્વારા અનુભવ સ્વરુપ પ્રભુ એવો આત્મા જ અનુભવવા યોગ્ય છે. (૮૯)
ज्ञानवैराग्ययोगैस्तु ब्रह्मणि लीनता भवेत् । ब्रह्मणि पूर्णमग्नानां सर्वैश्वर्यं प्रकाशते ॥९० ॥
જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય યુક્ત યોગોથી બ્રહ્મમાં લીનતા થાય છે અને બ્રહ્મમાં પૂર્ણ રીતે મગ્ન થયેલાઓને આત્માનું બધું ઐશ્વર્ય પ્રકાશે છે. (૯૦)
૧૮
For Private And Personal Use Only