________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
दुष्कृतमद्यपर्यन्तं कृतं कारापितं च यत् । मनोवाक्काययोगैस्तन्निन्दामि स्वोपयोगतः ॥ ७३६ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આજ સુધી મન, વચન, અને કાયાના યોગોથી જે દુષ્કૃત કર્યું અને કરાવ્યું હોય, તેને હું સ્વોપયોગથી નિંદું છું. (૭૩૬)
अनन्तभवबद्धं यत्कर्म शुद्धोपयोगतः ।
तत्सर्वं क्षणमात्रेण नश्येत्तत्र न संशयः ॥ ७३७ ॥
જે કર્મ અનંત ભવોમાં બાંધેલું હોય, તે સર્વ શુદ્ધોપયોગથી ક્ષણમાત્રમાં નાશ પામે છે, તેમાં સંશય નથી. (૭૩૭)
क्षयोपशमभावेन स्वात्मनः प्राप्तिरात्मना ।
भूता पूर्णञ्च सद्भाविन्येव क्षायिकभावतः ॥ ७३८ ॥
ક્ષયોપશમભાવથી આત્મા વડે પોતાના આત્માની પ્રાપ્તિ થઈ છે અને ક્ષાયિકભાવથી ભવિષ્યમાં તે પૂર્ણ પ્રાપ્તિ થવાની જ છે. (૭૩૮)
आत्मनः शुद्धरागेण यथाशक्ति प्रवृत्तितः । पूर्णशुद्धात्मलक्ष्येण सज्जीवामि यथातथम् ॥ ७३९ ॥
આત્માના શુદ્ઘરાગ વડે યથાશક્તિ પ્રવૃત્તિપૂર્વક પૂર્ણ શુદ્ધ એવા આત્માના લક્ષ્યથી હું સાચું શુદ્ધ જીવન જીવુ છું. (૭૩૯)
सद्गुरुकृपयाऽवाप्तमात्मज्ञानं सुखावहम् ।
अनन्तं जीवनं नित्यं प्राप्तं सत्यं वहाम्यहम् ॥ ७४० ॥
સદ્ગુરુની કૃપાથી મારા વડે સુખાવહ આત્મજ્ઞાન પ્રાપ્ત કરાયું છે. તેથી મને નિત્ય અનંત જીવન પ્રાપ્ત થયું છે અને એ વાત સાચી છે કે હું તેને વહન કરું છું. (૭૪૦)
૧૪૮
For Private And Personal Use Only