________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| માટે આત્મજ્ઞાન એટલા શબ્દથી રાજી ન થતાં સમગ આત્મજ્ઞાન શું છે, અને તેના વકતા કેણ છે? તેની પરીક્ષા કરવી જોઈએ. અમે કહીશું કે–પૂર્વાપર અવિરૂદ્ધ વચનના ભાષણકર્તાશ્રી સર્વજ્ઞ વીરપ્રભુએ આત્મસ્વરૂપ યથાતથ્ય કેવલજ્ઞાનથી જાણી ભવ્યજનને ઉપદેશ્ય છે. તે આત્મસ્વરૂપનું વર્ણન સૂત્રોમાં છે. તે સૂત્રસમુદ્રમાંથી બિંદુની પેઠે ઉદ્ધાર કરી સમ્યગ આત્મસ્વરૂપ આ ગ્રન્થમાં પ્રકાણ્યું છે. માટે-આ ગ્રન્થનું નામ, આત્મપ્રકાશ સાર્થક રાખવામાં આવ્યું છે. સર્વજ્ઞવાણ અનુસાર આ ગ્રન્થ રચે છે તેથી તે ગ્રન્થમાં પ્રમાણતા આવે છે. કારણ કે- રં વાર મri આખપુરૂષે કહેલું વાકય પ્રમાણ છે–માટે આત્મપ્રકાશ ગ્રન્થ પણ પ્રમાણભૂત ઠરે છે. શ્રી સમ્મતિતર્કમાં પણ કહ્યું છે કે–પ્રમાણુનું લક્ષણ.
तत्रापूर्वार्थविज्ञानं, निश्चितं बाधवर्जितम् । अदुष्टकारणारब्धं, प्रमाणं लोकसंमतम् ॥ १ ॥
એ પ્રમાણલક્ષણની સંગતિ પણ આત્મપ્રકાશ ગ્રન્થમાં આજ્ઞાનુસારીપણાથી થાય છે. આત્મપ્રકાશગ્રન્થ વાચક છે, અને આત્મસ્વરૂપ વાચ્ય છે. માટે આ ગ્રન્થને અને આત્મસ્વરૂપને વાચ્ય વાચકભાવ સંબંધ જાણ આત્મસ્વરૂપને પ્રકાશ કરે, કરાવ, એ ગ્રન્થરચનને હેતુ છે અને
For Private And Personal Use Only