________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬), નિરપેક્ષ એકાંતપણે એકેક અંશને સ્વીકારે છે, માટે તે અજ્ઞાની છે, તે અપેક્ષાએ તેમને મત ત્યાજ્ય છે. એ પ્રમાણે સત્ય ઇશ્વરની સિદ્ધિ કર્યાબાદ, નિત્યાનિત્ય વાદીયોને પણ જૈન દર્શનમાં સમાવેશ થાય છે તે બતાવે છે.
સાંખે આત્માને નિત્ય માને છે તથા નિયાયિક તથા વેદાંતીઓ પણ જ્યારે આત્માને નિત્ય માનીને એકાંતે અનિત્ય આત્મા માનનાર બદ્ધદર્શનનું ખંડન કરે છે. ત્યારે શ્રદ્ધદર્શન પણ એકાંત ક્ષણિક આત્મા સ્વીકારી, વેદાંત, સાંખ્ય, નૈયાયિકોનું ખંડન કરે છે, ત્યારે તે બે વાદીયો લડતા શ્રી વિરપ્રભુની પાસે આવ્યા. શ્રી સર્વજ્ઞ વિરપ્રભુએ બે વાદીઓને કહ્યું કે, તમે શા માટે એક બીજાની અપેક્ષા સમાવિ. ના, વાદ કરી દુનિયામાં અશાંતિ ફેલાવે છે ? ધ્યાન રાખો. જુઓ, દ્રવ્યાકિનયની અપેક્ષાએ આત્મા નિત્ય છે; અને તેથી આત્મા ત્રિકાલમાં વર્તે છે, અને પર્યાયાર્થિકનની અપેક્ષાએ, અશુદ્ધ વા શુદ્ધપર્યાને ધારણ કરે છે. દેવતા થઈને, મનુષ્ય થાય છે, અને મનુષ્ય પર્યાયને નાશ થતાં નારકી પર્યાય અર્થાત (આકૃતિ) ને ધારણ કરે છે તેથી કથંચિત આત્મા દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ નિત્ય છે અને કથંચિત્ આત્મા પર્યાયાર્થિકનયની અપેક્ષાએ અનિત્ય છે. માટે આત્માને નિત્યાનિત્ય માનવો જોઈએ. એમ જૈનદર્શન બે પક્ષને સ્વીકારે છે તેથી, બે દર્શનેના અંશને સાપેક્ષપણે
For Private And Personal Use Only