________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૪) મહેલ, પૃથ્વી, રથ, ધન એ સર્વ પુદગલદ્રવ્યના સ્કધે છે, પુદ્ગલદ્રવ્યમાં મળવાની અને વિખરવાની સ્વભાવથી શક્તિ રહી છે. પુદ્ગલદ્રવ્યના મોટા મોટા પર્યાયરૂપ આકારે દેખી આપણે અજ્ઞાનથી વિચારીએ છીએ કે, અહો ! આવા મોટા આકારે તેણે કર્યા હશે? તેને કર્તા અન્ય કેઈ હવે જોઈએ? પણ જ્ઞાન દ્રષ્ટિ જ્યારે થાય છે, અને આવી રીતે પગલદ્રવ્યનું સ્વરૂપ સમજવામાં આવે છે ત્યારે માલુમ પડે છે કે, પુગલદ્રવ્યમાંજ મળવાની અને વિખરવાની શક્તિ રહી છે. કેઈ એમ કહેશે કે, પરમાણુદ્રવ્યના પર્વત આદિ મેટા મોટા આકાર બનાવનાર ઈશ્વરની શકિત માનવી જોઈએ, આવી રીતે કાઈ કહે તે તેની ભૂલ છે. કારણ કે, તેવી પર્વતાદિ મેટા પર્યાયરૂપે થવાની શકિત યુગલદ્રવ્યમાં ના હેત તે ઈશ્વરશકિતની કલ્પના કરવી પડત. પણ એવી શકિતે પુદ્ગલદ્રવ્યમાં રહી છે, માટે ઈશ્વરશકિતની જરૂર રહેતી નથી. ઈશ્વરની શક્તિ તે ચૈતન્યસ્વરૂપ છે, તે જડ જે પુદગલ પરમાણુઓ તેને એકઠા કરવા, જુદા કરવા આદિ કાર્ય કરી શકતી જ નથી. દુધને દધિરૂપ પર્યાય થવાની શકિત સ્વભાવ તે દૂધમાં જ છે. પણ કંઈ ઈશ્વરે દૂધને દધિરૂપ પર્યાય કર્યો નથી. ઈશ્વરની શક્તિથી અમુક મેટું વિગેરે થાય છે, તેમ કહેવું છે તે અજ્ઞાનથીજ છે. જ્યારે દરેક દ્રવ્યને ભિન્ન ભિન્ન સ્વભાવ છે, ત્યારે અન્ય
For Private And Personal Use Only