________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અને ૪. ધર્મકથાનુગ. એ ચાર અનુયોગમાં દ્રવ્યાનચોગ તે તત્વમય છે. શ્રી તીર્થંકર પ્રભુએ દ્રવ્ય ગુણપર્યાયનું સ્વરૂપ કહ્યું છે, તે દ્રવ્યની વ્યાખ્યા આવે છે. પદ્રવ્યને વિચાર અમ્મદીય પદ્ધવ્યવિચાર નામના ગ્રંથમાંથી જોઈ લે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય, કાલ, અને જીવ એ પદ્રવ્ય છે. ધર્માસ્તિકાય દ્રવ્યને ચલણ સહાય ગુણ છે. ધર્માસ્તિકાયના અસંખ્ય પ્રદેશ છે. લોકાકાશવ્યાપીધર્માસ્તિકાય દ્રવ્ય છે. ધર્માસ્તિકાયના પ્રતિ પ્રદેશ ચલણ સહાયગુણ રહ્યો છે. ધર્માસ્તિકાય અનાદિકાળથી છે, અને અનંત છે. ધર્માસ્તિકાય અરૂપી છે, અજીવ છે. પરદ્રવ્યમાં પરિણમતું નથી. ધર્મસ્તિકાયના પ્રતિ પ્રદેશ અનંત ગુણપર્યાય છે. ધર્માસ્તિકાયમાં સમયે સમયે એકેક પ્રદેશમાં ઉત્પાદવ્યયની વર્તના થઈ રહી છે, તેજ પ્રમાણે અધર્માસ્તિકાય દ્રવ્ય પણ અસંખ્યપ્રદેશી છે, સ્થિર થવામાં સાહા આપવી, એ ગુણ અધર્મદ્રવ્યનો છે. અધર્માસ્તિકાય દ્રવ્ય લોકાકાશવ્યાપી છે. તેના પ્રતિ પ્રદેશે અનંત ગુણપર્યાય રહ્યા છે. અધર્માસ્તિકાય દ્રવ્ય અનાદિકાળથી છે, અને અનંત છે. જે વસ્તુ અનાદિ અનંત છે, તેને અન્ય કેઈ કર્તા નથી. અધર્માસ્તિકાય અરૂપી છે, તથા અજીવ છે. તે પર દ્રવ્યમાં પરિણમતું નથી; અધર્મદ્રવ્યના એકેક પ્રદેશમાં સમયે સમયે અનંત ઉત્પાદવ્યયની વર્તન થયા કરે છે.
For Private And Personal Use Only