________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૬). તારી ચતુરાઈ બીજાઓને દેખાડે છે, પણ યાદ રાખ કે પરભવમાં તારી ચતુરાઈ જરા માત્ર રહેવાની નથી. અરે જીવ તું ! અવિદ્યાના તેરમાં અને કુતર્કો કરી, ધમ શાઅને જૂઠાં પાડે છે. પણ તેનું ફળ નરકાદિક તને મળ્યા વિના રહેનાર નથી. અરે જીવ ! તું અનેક પ્રકારનાં પાપ કર્મ કરીને તેને અહીં છાના રાખ પણ પરભવમાં તેના ફળ ભગવતી વખત જરા માત્ર પણ પાપ છાનું રહેનાર નથી. અરે લોભી જીવ! તું લેભથી અનેક પ્રકારનાં અસત્ય વચન બેલ. પણ તેથી પરભવમાં જીભ પ્રાપ્ત કરવી, પણ તને મુશ્કેલ થશે. મનમાં આવે તેમ ચાલ, ગમે તેમ કર, પણ પરભવમાં માલુમ પડશે. અરે જીવ ! માયાનાં વિષ વૃક્ષે તું વાવે છે, તે તેના નઠારાં ફળ તું ભેગવીશ. અરે જીવ ! તું જ્ઞાની મુનિરાજોની ફાવે તેમ નિંદા કર, પણ તેથી પરભવમાં મૂઢ બન્યા વિના રહેનાર નથી. અરે જીવ! તું પોતાને ઓળખ; અવિદ્યામાં અનંત કાળ ગયો, પણ તેથી તેને પરમ શાંતિ મળી નહીં. અરે જીવ ! તું પિતે પિતાને ઓળખતે નથી, એ તારી કેટલી મોટી ભૂલ છે? અહંવૃત્તિના ગે તું ભૂતની પેઠે ચેષ્ટા કરે છે. અહં. વૃત્તિના ગે તું પરસ્વભાવમાં પરિણમી જાય છે. અહંવૃત્તિ બાદાનું જીવન છે. અહંવૃત્તિ એ વિભાવદશા છે.
હવે પુનઃ અહંવૃત્તિનું સ્વરૂપ કહે છે.
For Private And Personal Use Only