________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮૫) સમજે છે. પણ યાદ કર કે દુનિયાદારીની ક્ષણિક બાજી કોઈને છાજી નથી, અને છાજશે પણ નહીં. હે આત્મન્ ! તું દુકાનમાં બેસી, અનેક જીવોને ડું સમજાવી, જાડું આપી, હર્ષ ધારણ કરે છે. પણ તેથી કમ રાજા તારું આવું સ્વરૂપ દેખી, હર્ષ ધારણ કરે છે કે, એ જીવ મારા તાબામાં રહેવાને છે. અરે જીવ ! તું ધનપતિ, વા સત્તાધારી થઈ, અનેક જીવોની હિંસા કરીશું ખુશી થાય છે ? તારી જ મઝા અને આનંદ પરભવમાં જોતાં જોતાં ઉડી જશે, અને ત્યાં મહા દુખી થઈશ. હે જીવ! તું ધર્મ પુરૂષોને ઢોંગી ગણે છે, પણ તારી દુર્મતિનું ફળ પરભવમાં મહાદુઃખ રૂપે વેઠી ચાખીશ. અરે જીવ ! તું બીજા જીની ઠઠ્ઠા મશ્કરી કરે છે, પણ સમજાતું નથી કે તારી મશ્કરી કર્મ રાજા તેજ વખતે કરે છે, અરે જીવ ! તું મસ્ત થઈને હાલે છે, પણ યાદ રાખ કે તારા જેવા નવાણું લાખ દુનીયામાં જન્મી જન્મીને ચાલ્યા ગયા, તે તારે શે ભાર છે ? અરે જીવ ! તું અજ્ઞાનના
ગે મનમાં અનેક પાપ કાર્ય કરવાના ઘાટ ઘડયા કરે છે, પણ યાદ કર કે ઘડી પશ્ચાતું શું થશે ? તેની તને સમજણ નથી. અરે જીવ! તું મિત્રોની સેબતમાં અનેક પ્રકારની કુચેષ્ટાઓ કરે છે, તેનું ફળ તને મળ્યા વિના રહેનાર નથી. અરે જીવ ! તું મોટાઈની આશાએ ફક્ત
For Private And Personal Use Only