________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
થાય છે. અજ્ઞાનીજીવ જાણે ગાંડાજ થઇ ગયા હૈાયની, તેમ સંસારમાં ચેષ્ટા કરે છે. જેમ કૂતરૂ આરિસામાં પેાતાનુ રૂપ દેખી, સામું ખીજા કૂતરાની વિદ્યમાનતા દેખી, ખૂબ ભસ્યા કરે છે, અને અન્ય કૂતરાના અધ્યાસથી પ્રતિબિંબને મારવા ઢાડે છે; તેમ અજ્ઞાનીજીવ મનમાં, વાણીમાં તથા કાચામાં આત્મત્વ બુદ્ધિ ધારણ કરી, તેમાં અર્હત્વને દૃઢાધ્યાસ ધારણ કરી મુઝાય છે. કેટલાક અજ્ઞાની છીપાના મોટા ઢગલા દૂરથી દેખી, તેમાં રૂપાની બુદ્ધિ ધારણ કરી, તેનું ગ્રહણ કરે, અને તેને વેચવા જાય, અને ઝવેરીએની આગળ કહે કે “ આ રૂપ છે ” પણ ઝવેરીએ પાસેથી તેને કઇં મળે નહીં; ઉલટા પેાતાનીં ભૂલથી પશ્ચાતાપ પામે, તેમ અજ્ઞાની જીવ અહં વૃત્તિ ચૈાગે સાંસારિક જડપદાર્થોને પેાતાના કલ્પી, રાચી માચી રહે, પણ અંતે પરભવ જતાં-શરીરથી આત્મા છૂટતાં, માલૂમ પડે કે, અહા ! હું જન્મ ધારણ કરી, નાહક માહમાયામાં મુંઝાયા, અને મારૂ સત્યસ્વરૂપ એળખ્યુ નહીં. અરે હવે મારી શી ગતિ થશે? અરે ફ્રી મનુષ્યજન્મ પામુ તા ભૂલ કરૂ‘નહી, એમ ઘણા પશ્ચાતાપ કરે, પણ પુનઃ મનુષ્ય અવતાર દુર્લભ છે. તેમ અત્ર પણ અજ્ઞાનીજીવ ભ્રાંતિથી સાંસારિક કાર્યામાં પુત્ર, ધન, સ્ત્રી, વગેરેમાં, પેાતાનુ આયુષ્ય ગાળે અને તેમાંજ સાર માને, તે ધેાળા દિવસે માહ શત્રુઓથી મનુષ્ય ગતિરૂપ બજારમાં લૂંટાય છે; લક્ષાધિપતિ
For Private And Personal Use Only