________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૯ ) જીવને જડ માનવામાં આવે છે, અજ્ઞાનથી રૂપી વસ્તુને અરૂપી માનવામાં આવે છે, અને અરૂપીને રૂપી માનવામાં આવે છે. અજ્ઞાન એજ મિથ્યાત્વનું મૂળ છે, અજ્ઞાની છવથી આત્મહિત થઈ શકતું નથી. મહાપ્રોફેસરની પદવી મેળવે, અનેક પ્રકારની ભાષાના વિદ્વાન્ ગણાએ, પણ જ્યાં સુધી સ્યાદ્વાદ રૂપે આત્માને ઓળખે નથી. ત્યાં સુધી અજ્ઞાની છે. અજ્ઞાનીની ક્રિયા સંસારની વૃદ્ધિ કરે છે, વિષમાં વિષ, દુઃખમાં દુઃખ અજ્ઞાન છે. માટે અજ્ઞાનને નાશ કરવા સદ્દગુરૂ મુનિરાજ ની ઉપાસના કરવી. અજ્ઞાનથી સત્યાસત્યનું ભાન થતું નથી. અજ્ઞાની પુરૂષ લેકવ્યવહારની નીતિને જ ધર્મ કહે છે, વા દુનીયામાં શુદ્ધાચાર રાખવે, એટલાજ ધર્મ સ્વીકારે છે, પણ તે તેનું અજ્ઞાન જ છે, અજ્ઞાની પુરૂષ સર્વ ધર્મને એક ધર્મમાની બેસે છે. જેમ કે બાળક, બકરી, ગાય, ભેંસ ઊંટ, થુવર, આકાડાના દૂધને એક સરખું દૂધ માની લે છે, તેમ અજ્ઞાની જીવ, સર્વ ધર્મને એક સરખા માની લે છે, પણ તેનાથી સત્યાસત્યનો નિર્ણય કરી શકાતું નથી. દુનીઆની વસ્તુઓનું જ્ઞાન સારી રીતે મેળવ્યું, પણ આત્માનું જ્ઞાન, સાતનય, સપ્તભંગ, નિક્ષેપા, પ્રમાણે, અનુભવાદીથી મેળવ્યું નથી,
ત્યાં સુધી તમારું કાર્ય સિદ્ધ થવાનું નથી. અને સમકિત રત્ન પ્રાપ્ત કરી શકવાના નથી, ઉમર વધવાથી કાંઈ મહતવ પ્રાપ્ત થતું નથી. કહ્યું છે કે
For Private And Personal Use Only