________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૯ )
જીવને જડ માનમાં આવે છે. અજ્ઞાનથી રૂપીવસ્તુને અરૂપી માનવામાં આવે છે, અને અરૂપીને રૂપી માનવામાં આવે છે. અજ્ઞાન એજ મિથ્યાત્વનું મૂળ છે. અજ્ઞાનીજીવથી આત્મહિત થઇ શકતું નથી. મહાપ્રાસરની પદવી મેળવે; અનેકપ્ર કારની ભાષાના વિદ્વાન્ ગણાએ, પણ જ્યાં સુધી સ્યાદ્વાદ રૂપે આત્માને ઓળખ્યા નથી, ત્યાં સુધી અજ્ઞાની છે. અજ્ઞાનીની ક્રિયા સ`સારની વૃદ્ધિ કરે છે વિષમાં વિષ; દુઃખમાં દુઃખ અજ્ઞાન છે.માટે અજ્ઞાનને નાશ કરવા સદ્ ગુરૂમુનિરાજની ઉપાસના કરવી. અજ્ઞાનથી સત્યાસત્યનું ભાન થતુ નથી. અજ્ઞાની પુરૂષ લોકવ્યવહારની નીતિનેજ ધર્મ કહે છે, વા દુનીયામાં શુદ્ધાચાર રાખવો, એટલેજ ધર્મ સ્વીકારે છે. પણ તે તેનુ અજ્ઞાનજ છે, અજ્ઞાની પુરૂષ સર્વ ધર્મને એક ધર્મમાની બેસે છે. જેમ કોઇ બાળક, અકરી, ગાય, ભેંસ, ઉંટ, થુવર, આકાડાના દૂધને એક સરખુ દૂધ માની લે છે, તેમ અજ્ઞાની જીવ સર્વ ધર્મને એક સરખા માની લે છે; પણ તેનાથી સત્યાસત્યને નિર્ણય કરી શકાતા નથી.દુનીયાની વસ્તુઓનુ જ્ઞાન સારી રીતે મેળળ્યુ, પણ આત્માનું જ્ઞાન સાતનય, સસલ’ગી, નિક્ષેપા, પ્રમાણ, અનુભવાદીથી મેળવ્યું નથી, ત્યાં સુધી તમારૂં કાર્ય સિદ્ધ થવાનું નથી. અને સમિકત પ્રાપ્ત કરી શકવાના નથી. ઉમર વધવાથી કાંઈ મહત્વ પ્રાપ્ત થતું નથી. કહ્યું છે કે
રત્ન
For Private And Personal Use Only