________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે કે તે સ્ત્રી પુરૂષની પેઠે પરમાત્માનંદને ઉત્પન્ન કરે છે. પુરૂષેનું ભાગ્ય પંગુ સમાન છે અને વ્યવસાય એટલે વ્યાપાર; ક્રિયા અંધ સમાન છે, પણ તે બનાયેગે જેમ કાર્યની સિદ્ધિ થાય છે તેમ જ્ઞાન અને ચરિત્ર એટલે સંયમકિયા એ બેને વિષે મોક્ષરૂપ કાર્યની સિદ્ધિ જાણવી. આત્મજ્ઞાનથી સમ્યમ્ વિવેક પ્રગટવાથી અંતરાત્માની શુદ્ધિ થાય છે. અને બાહ્યશુદ્ધિ તે વ્યવહાર ધર્મક્રિયારૂપ સંવરથી થાય છે. તે વિષે શ્રી સિદ્ધસેન સૂરિ ચરણ નીચે મુજબ કહે છે–
છે જ . अन्तस्तत्त्वं मनःशुद्धिः बहिस्तत्वं च संयमः ।। कैवल्यं द्वयसंयोगे तस्माद द्वितयभाग भव ॥ १ ॥
ઈત્યાદિથી જ્ઞાનકિયા પર્યપાસના જૈન શાસ્ત્રોમાં રૂડી રીતે સિદ્ધ થાય છે તેને દંશાવનાર આત્મપ્રકાશ છે. આત્મા જેના વડે પ્રકાશે તે આત્મપ્રકાશ ગ્રન્થ છે, આત્મપ્રકાશ છે નથમાં મતિદોષથી કોઈ સ્થાને જનાજ્ઞા વિરૂદ્ધ લખાયું હોય તેની હું ક્ષમા ચાહું છું. અને તે ભૂલને સજજન પં. ડિત સુધારી લેશે. અસત્ય જે કંઈ લખાયું હોય તો તેને કેઈએ દષ્ટિરાગથી સત્ય માનવું નહિ. સાપેક્ષ ગભીર વડે આ ગ્રન્થમાં આત્મસ્વરૂપ સંબંધી વિવેચન કર્યું છે. શ્રી
For Private And Personal Use Only